March 20th 2017

કાયામાયાના બંધન

.       . .કાયામાયાના બંધન 

તાઃ૨૦/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળે જગતની માયા,જે કાયાથી સ્પર્શી જ જાય
પરમાત્માની પરમ કૃપા મળે,જ્યાં ગઈકાલને જ ભુલાય
.......અનેક દેહનાબંધન જીવને,અવનીએ આવનજાવનથી દેખાય.
પશુ,પક્ષી,પ્રાણીના બંધને,ના જીવને કોઇકર્મ અડી જાય
કર્મનાબંધન એ જીવને સ્પર્શે,ત્યાં આવનજાવન થઈ જાય
કુદરતની અપારલીલા જીવ પર,જે દેહના સ્પર્શેજ સમજાય
અંતે જીવને મળે દેહ માનવીનો,જે પવિત્રરાહ આપી જાય
.......અનેક દેહનાબંધન જીવને,અવનીએ આવનજાવનથી દેખાય.
મળતા જીવને કાયામાનવીની,જલાસાંઇથી આંગળી ચીંધાય
પવિત્રજીવન જીવવા કાજે,અન્નદાન સહિત ભક્તિ પ્રેમે થાય
કર્મનાબંધન ભક્તિભાવને સ્પર્શે,નિર્મળ જીવન જીવી જવાય
મળે જીવને મુક્તિમાર્ગ જીવને,જે પવિત્રજીવન આપી જાય
.......અનેક દેહનાબંધન જીવને,અવનીએ આવનજાવનથી દેખાય.
====================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment