December 5th 2018

પાવનરાહ મળી

.           .પાવનરાહ મળી      

તાઃ૫/૧૨/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભક્તિનો સંગાથ મળ્યો જીવનમાં.ત્યાં કૃપાએ પાવનરાહજ મળી દઈ
અનંત આનંદથયો અંતરમાં,જ્યાં સંતજલાસાંઈની શ્રધ્ધાથી પુંજા થઈ
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
મળેલ માનવદેહને સંબંધ કર્મનો,જે દેહના વર્તનથી અવનીએ સમજાય
કુદરતની આ અવનીપરની લીલા,ના કોઇજ જીવથી જગતપર છટકાય
શ્રધ્ધાભાવનાથી થયેલ ભક્તિ,પાવનકર્મની પવિત્રકેડી જીવને આપી જાય
ના માગણીનો સંબંધ અડે,કે ના જીવને મોહનો સંગાથ કદી મળી જાય
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
સરળ જીવનની રાહમળે પ્રભુકૃપાએ,જ્યાં નિખાલસ ભાવનાએ પુંજા થાય
મળેલ માનવદેહ ને પવિત્રકર્મનો સંગાથ મળે,જ્યાં સત્કર્મનો સંગાથ મળે
નિર્મળભાવથી ભક્તિ કરતા પરમાત્માની,જીવને મુક્તિમાર્ગે એ દોરી જાય
જીવને મળેલદેહ એ કર્મનો સંબંધ,પાવન ભાવનાની ભક્તિએ  છુટી જાય 
......એજ કૃપા પરમાત્માની,જીવનમાં પવિત્ર પાવન જીવોનો સંગાથ આપી જાય.
==============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment