December 13th 2018

પવિત્રદેહ

.                .પવિત્રદેહ

તાઃ૧૩/૧૨/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાભાવનાની પવિત્રરાહે વંદન કરતા,સંત જલાસાંઈનો પાવનપ્રેમ મળી જાય
પવિત્રદેહ લઈ ભારતની ભુમી પર જન્મ્યા,જે ભક્તોને પવિત્રરાહજ આપી જાય
......એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
સંત જલારામની પવિત્રરાહ જીવનમાં,જે ભુખ્યાને પ્રેમથી ભોજન આપી જાય
મળેલ ભોજન જીવોનાદેહને સુખ આપી જાય,જે જગતપર પવિત્રરાહ કહેવાય
ના કદી કોઈ માગણી રાખી કે,ના કોઇજ અપેક્ષા જીવનમાં કદી સ્પર્શી જાય
જલારામ સંગે પત્નીવિરબાઈનો પણ સાથમળ્યો,જીવનમાં સંસ્કાર સાચવી જાય
......એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
પાવનદેહ લીધોશેરડીમાં સંત સાંઈબાબાએ,જ્યાં પવિત્રદ્વારકામાની કૃપા મેળવાય
માનવતાનો સંગ બતાવ્યો જીવોને મળેલ દેહને,જે અલ્લાઈશ્વરને વંદન કરી જાય
શ્રધ્ધાશબુરી એ ધર્મની આંગળી ચીંંધે દેહને,જીવને મળેલ દેહને સુખ આપી જાય
પરમ શક્તિશાળી એ દેહ હતા અવનીએ,જે સંત જલાસાંઈથીજ જગતમાં પુંજાય
.....એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment