January 30th 2010

યાદગીરી

                               યાદગીરી

તાઃ૩૦/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમય સમયનુ કામ કરે,ના તેમાં કોઇ ભેદભાવ
પકડી લેતાં માનવી બને,જે યાદ રહે જગમાંય
                       ……..સમય સમયનુ કામ કરે.
જગતપિતાની કૃપા થતાં,જીવને મળે માનવ જન્મ
થતાં અવનીએ કર્મના બંધન,જે કરેછે જીવને મુક્ત
મારા તારાની માયા બતાવે,મોહનાબંધન સદામળે
મુક્તિ પામશે આ પામર જીવ,ભક્તિમાં રાખેજો સંગ
                         ………સમય સમયનુ કામ કરે.
જીવનના સોપાન ચઢતાં,પ્રથમ ભણતરનો લેસંગાથ
મહેનત મનથી કરતાં ત્યાં સફળતાનો મળે સહવાસ
સિધ્ધિ પામતા આ સોપાને,મળીજાય દેહને સન્માન
યાદ રહે એનામ,કામ,જેને જગમાં યાદગીરી કહેવાય
                          ………સમય સમયનુ કામ કરે.
જુવાનીના જોશને પકડી,જ્યાં વિશ્વાસે મહેનત થાય
મળે સોપાન સોપાને સરળતા,જે ઘણુ બધુ દઇ જાય
સધ્ધર પાયે જીવન મળતાં,સંસાર શાંન્તિએ મહેંકાય
આંગળી ચીંધાય જ્યાં કર્મને,ત્યાં યાદગીરી રહીં જાય
                          ……….સમય સમયનુ કામ કરે.
જન્મ સાર્થક કરવાને જ્યાં,પ્રેમથી પ્રભુની ભક્તિ થાય
નિર્મળ હૈયે પુંજન કરતાં જીવને,ભક્તિ પથ મળી જાય
ઉંમરના ઓવારે આવતાં,મુક્તિદેવા પરમાત્મા હરખાય
અવનીપરની વિદાયથી,સગાંસ્નેહીઓને રાહમળી જાય
                           ………સમય સમયનુ કામ કરે.

==================================

January 29th 2010

કર્મની ઓળખાણ

                       કર્મની ઓળખાણ

તાઃ૨૮/૧/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી તો જીવી જવાની,ના છે તેમાં કોઇ રમખાણ
સંસ્કાર સિંચનની કેડી જોતાં,થાય કર્મની ઓળખાણ
                        ………જીંદગી તો જીવી જવાની.
મીઠી મધુર એક લહેર પવનની,સુગંધ પ્રસરાવી જાય
મળેમનને ત્યાં શાંન્તિ અપાર,ને દેહપણ પાવન થાય
કુદરતની આકલા નિરાળી,મનની પવિત્રતાએ લેવાય
સત્કર્મોથી પ્રભુ રીઝવતાં,મનુષ્ય જન્મસાર્થક થઇ જાય
                      ………..જીંદગી તો જીવી જવાની.
મોહ અપેક્ષા કે લાગણી દેખાવની,ના અસર કોઇ થાય
સમય ના હાથમાં કોઇના,કે ના કોઇથી એ કદી રોકાય
સંતનુ શરણુ મેળવી લેતાં,જીવને સદ માર્ગે દોરી જાય
અલખની દોરી મેળવીલેતાં,કર્મે જીવન પણમહેંકી જાય
                        ……….જીંદગી તો જીવી જવાની.

===================================

January 29th 2010

અવસ્થા

                                  અવસ્થા

તાઃ૨૮/૧/૨૦૧૦                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મરણના બંધનમાં ભઇ,જીવને જન્મ મળી જાય
કૃપાપ્રભુની એવીનિરાળી,સમયે અવસ્થા દેખાઇ જાય
                           ………જન્મ મરણના બંધનમાં.
માતાની કૃપા થકી જીવને,જગતમાં દેહ મળી જાય
બાળપણ દેહને મળતાં,સર્વનો પ્રેમ પણ આવી જાય
હાલરડાની મીઠી સોડમમાં,માબાપનો પ્રેમછે લેવાય
આંખની પલક જોવાને માતા,સારી રાત જાગી જાય
                         ………..જન્મ મરણના બંધનમાં.
માયા છુટતાં બાળપણની દેહે,જુવાનીના મળે સોપાન
બુધ્ધિ ચાતુર્ય વાપરી લેતાં,જીવનમાં કેડી મળી જાય
સોપાન સધ્ધરતાનામળે,જ્યાં મહેનત મનથીજ થાય
જુવાનીની અવસ્થાને પારખતાં,જન્મ સફળ થઇ જાય
                           ………જન્મ મરણના બંધનમાં.
કુદરતની કલા પારખતાં, સમયે ઉંમરની આવે દિવાલ
સાચવીનેટેકો લાકડીનોલેતાં,ના ડગીમગી ક્યાંયજવાય
સહવાસ અને સથવાર મળતાં જ,મનને હળવાસ થાય
બાળપણ,જુવાનીકે ઘડપણ,આ દરેક અવસ્થા સચવાય
                            ……..જન્મ મરણના બંધનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

January 28th 2010

વંદનના સોપાન

                 વંદનના સોપાન

તાઃ૨૭/૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન માબાપને,જેણે દીધો છે માનવ દેહ
જન્મ દીધો માતાએ,ને પિતાએ દીધો ઉજ્વળ પ્રેમ
                       ………પ્રથમ વંદન માબાપને.
કર્મના બંધન જીવની સાથે, જે ગતિએ લઇને જાય
વાણી વર્તન સાચવી લેતા,જીવન પણ સાર્થક થાય
વંદન માબાપને કરતાંમનથી,આશીર્વાદ છે લેવાય
જીવનમાં શાંન્તિ આવીજાય,ને પ્રભુ કૃપા પણ થાય
                        ……….પ્રથમ વંદન માબાપને.
પ્રભાતપહોરમાં પ્રભુનેવંદન,જીવે માનવતા મહેંકાય
ધુપ,દીપને અર્ચન કરતાં,જીવપર પરમાત્મા હરખાય
મહેંકે જીવન માનવતાએ,ને સધળા કામસફળ થાય
મનનેમળે નેજીવનેમળે,જે શાંન્તિ પ્રભુકૃપાએ લેવાય
                          ………પ્રથમ વંદન માબાપને.
ભણતરના સોપાન બતાવી,રાહ જીવનમાં જેણે દીધો
ગુરુજીનેવંદન થાયપ્રેમથી,જેથી ઉજ્વળ જીવન લીધુ
માર્ગ મહેનતનો મેળવી,જીવે સાર્થક જન્મ જગે દીઠો
મનુષ્યજીવન પ્રભુકૃપાએ,આશીર્વાદે પાવનકરી લીધુ
                         ………પ્રથમ વંદન માબાપને.

=================================

January 25th 2010

સરવાળો

                             સરવાળો

તાઃ૨૪/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરવાળાની માયા જગમાં,સતકર્મીથી  સમજાય
જન્મ મળતાં જીવને જગમાં,માનવ દેહ હરખાય
                    ……..સરવાળાની માયા જગમાં.
મળેલ જગના બંધન એતો,જન્મે જીવથી બંધાય
કોનુ કેટલુ ક્યાં બંધાણુ,તે પરમાત્માથીજ સંધાય
માગણી મનથી ભક્તિની લેતાં,પ્રભુ કૃપા દેખાય
જીવઅંતે હરખાય  જ્યાંસરવાળે શ્રધ્ધાવધી જાય
                   ………સરવાળાની માયા જગમાં.
કર્મ છે જીવના બંધન,ને વર્તન જગના કહેવાય
માનવજન્મ સાર્થક થાય,જ્યાં સતકર્મો સચવાય
ઉજ્વળ આવતીકાલ દીસે,ને દેહે સુખ મળી જાય
ભાગ્યબંધન લેવા જ્યાંસરવાળે મહેનતવધીજાય
                   ……….સરવાળાની માયા જગમાં.

—————-++++++++++++++—————-

January 24th 2010

આંધીવ્યાધી

                           આંધીવ્યાધી

તાઃ૨૪/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંધીને મેં બાંધી લીધી,ત્યાંજ વ્યાધી ભાગી ગઇ
પરમાત્માની અસીમ કૃપા એ,જીંદગી સુધરી ગઇ
                     ……….આંધીને મેં બાંધી લીધી.
બાળપણની લીલામાં વ્હાલ,માબાપના મળી ગયા
આંગળી પકડી મમ્મીની,ત્યાં ડગલાંમેં માણી લીધા
ના આંધી કે વ્યાધી આવે,જ્યાં વ્હાલની વર્ષા થઇ 
મળીગઇ શાંન્તિ બાળપણમાં,ના તકલીફ દેહનેથઇ 
                       ………આંધીને મેં બાંધી લીધી.
જુવાનીના જડબામાંજ ભઇ,જ્યાં ઉંમર આવી ગઇ
આંધી દુર ઉભી રહીનેય,વ્યાધીની રાહ જોતી રહી
મહેનત તન અને મનથી થતાં,બંન્ને દુર ઉભી રહી
સાર્થકદેહ ને જીવનસાર્થક,એકલીમહેનતે મળ્યુભઇ
                      ……… આંધીને મેં બાંધી લીધી. 
જીંદગીના સોપાનમાં,જડી જીવતરની  બુધ્ધી ભઇ
ભક્તિ પ્રેમની આશક્તિ,જગમાં દરેક જીવોની મહીં
સાચીભક્તિ કૃપાપ્રભુની,ને આવે જલાસાંઇનો સંગ
આંધીને આ સ્વપ્નલાગે,જ્યાં વ્યાધીજ દેખાયનહીં 
                       ………આંધીને મેં બાંધી લીધી.

#################################

January 22nd 2010

માનવતા

                          માનવતા

તાઃ૨૧/૧/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સારા કામમાં સાથ આપવો,ને બનું  હું કોઇનો ટેકો
બનવુ મારે માણસ જગ પર,જેનો હરખ છે અનેરો 
                  ……….સારા કામમાં સાથ આપવો.
જન્મ મરણ ના જીવને બંધન, સરળતાનો સહવાસ
મહેનત મનથી કરવી જગ પર,ના રહે કોઇ બાકાત
કર્મ બંધન મેળવવાજીવને,જન્મ અવનીએ અપાય
આવી ધરતી પરના બંધન,માનવતાએ મળી જાય
                     ……..સારા કામમાં સાથ આપવો.
મારુએ સહજતા આપણુ એપ્રેમ,માનવી જન્મે જેમ
આગમને અણસારમળે,જ્યાં માનવી બુધ્ધિની દેન
કરતાં કામ સ્નેહની સાથે,ત્યાં સફળતા આવી જાય
બની કોઇનો સહારો જીવનમાં,પ્રભુનીકૃપા મેળવાય
                   ………..સારા કામમાં સાથ આપવો.

____________________________________

January 21st 2010

અજ્ઞાનતા

                            અજ્ઞાનતા

તાઃ૨૦/૧/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જન્મ મળે જગત પર, કર્મનો એ સંકેત
અવની પર સતકર્મ લેતા,સુધરે જન્મ આ એક
                        ………જીવને જન્મ મળે જગત.
કરુણાનો સાગર અવનીપર,પ્રભુ કૃપાએ દેખાય
માણી લેવો કે ના નસીબે,તે વર્તનથી મેળવાય
માનવજન્મ એસંકેત જીવને,સાર્થકએકરીજવાય
મારુતારુની અજ્ઞાનતા છોડતાં,પવિત્ર જન્મથાય
                          ……..જીવને જન્મ મળે જગત.
લાગણી માયા મોહ કે દ્વેષ,એ અવનીપરના વેશ
ક્યારેકેમ ક્યાંથીઆવે,તે માનવની સમજના ભેદ
સાર્થક જન્મ મળે જગે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
નાઆવે કળીયુગ આંગણે,જ્યાં બંધ માનવીનુમુખ
                           ………જીવને જન્મ મળે જગત.
સાચી કેડી મળે જીવને,પ્રાર્થના પુંજાનો મળે સંગ
મહેંક જીવનનીય પ્રસરે,જ્યાં થાય સાચો સત્સંગ
ના માગણી કરવી પડે,કે ના જગમાં પ્રસારે હાથ
મળી જાય આજીવને મોક્ષ,જ્યાંજલાસાંઇ ભજાય
                          ………જીવને જન્મ મળે જગત.

==================================

January 18th 2010

સલામ

                            સલામ

તાઃ૧૭/૧/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હૈયામાં ઉમંગ થાય અનેરો,ને જીવનમાં સાચીરાહ મળે
સલામ એ જીવને થાય,જેની કૃપાએ જન્મના ફેરા ટળે
                              ………હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ પરમાત્માને થાય,જેની કૃપાએ જીવને દેહ મળે
મુક્તિ પામવા જન્મ મરણથી,માનવ જન્મ સાર્થક રહે
ભક્તિ સાચી શ્રધ્ધાએ કરતાં,પાવક જીવન માર્ગ મળે
પળપળનોસહવાસ ભક્તિથી,જીવનેજન્મથી મુક્તિ મળે
                               ………હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ માબાપને થાય અંતરથી,જેનાથકી આદેહ મળે
જીવને મુક્તિનો માર્ગ લેવા,માન જન્મથી શુધ્ધિ મળે
ઉપકારઅતિ માબાપનો જીવપર,જેનાથકી આતકમળે
સાર્થક જીવનો જન્મ કરતાં જ,કાયમ પ્રભુનુ શરણું મળે
                              ……….હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ દેહના શિક્ષકને કરીએ,જેમના થકી ભણતર મળે
મહેનત સાચીરાહે કરતાં,મનુષ્યજીવન પાવન બની રહે
ભણતરનાસોપાન પામતા,જીવનમાં માનવતાસંગ મળે
ઉજ્વળ જીવન જીવી જતાં,સાર્થક માનવ જન્મ બની રહે
                               ……….હૈયામાં ઉમંગ થાય અનેરો.
સલામ સાચાસંતને તનમનથી,જેનાથકી પાવનરાહ મળે
ભક્તિનો સંગાથ મળતાં જીવને,જીવની મુક્તિના દ્વાર ખુલે
મહેંકી જાય આમાનવ જીવન,જ્યાં પ્રભુકૃપાની વર્ષાવરસે
આધી વ્યાધી ટળીજતાં,જગતમાં માનવજન્મ સાર્થક બને
                               ………..હૈયામાં ઉમંગ થાય અનેરો.

+++++++++++++++++++++++++++++++++++++++

January 16th 2010

મહાત્મા અને સંત

                           મહાત્મા અને સંત

તાઃ૧૬/૧/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનેજગતમાં જન્મથીસંબંધ,અવતરણને કર્મનાબંધન
પ્રાણી પશુ માનવ કે પક્ષી,જગમાં બને એ દેહના દર્શન
                         ………. જીવને જગતમાં જન્મથી.
વિશ્વ વ્યાપી જગત આધારી,પ્રભુને પરમાત્મા કહેવાય
સૃષ્ટિના છેએ સર્જનહારી,સમયે સૃષ્ટિને લપડાક દેનાર
જગત જીવના જન્મ મરણનો,હિસાબ પણ એછે કરનાર
એવા પરમ કૃપાળુ પ્રભુને,જગતમાં લાખ લાખ પ્રણામ
                           ………મારા લાખ લાખ પ્રણામ.
આવ્યા અવનીએ દેહ ધરીને,અંતે લઇ ના કશુ જનાર
જીવને મળતી માયા જગ પર,જે જન્મ ફરી દઇ જાય
કર્મના બંધન તો દરેક જીવને,પાવન એ છે તમ હાથ
જન્મ સફળ આ ધરતી પર કરનારને મહાત્મા કહેવાય
                 …….ભારતમાંએ મહાત્મા ગાંધી કહેવાય.
જીવને દેહ મળે માનવનો,જ્યાં જગના બંધન મળનાર
જગની કેડી જીવપકડે,માનવ કે પશુ અવનીએ થવાર
ભક્તિનો સંગાથપકડીને જગમાં,જીંદગી જે જીવી જાય
પ્રભુ કૃપા થકી અંજામ બતાવે,જગમાં સંત તે કહેવાય
                 …….ભારતમાં એ સંત જલારામ કહેવાય.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

« Previous PageNext Page »