ભક્તિનો પોકાર
ભક્તિનો પોકાર
તાઃ૧/૫/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તતણા ભક્તિના પોકાર,સ્નેહે સુણજો વારંવાર
દેજો પ્રેમ તણો સથવાર, રાખી હૈયે અમારે હામ
ઓ ત્રિપુરારી,ઓ ગિરધારી, ઓ મોહન વનમાળી
તારીઅગણીત લીલા અપાર,ને માયાનો નહીં પાર
દિનરાત મને લાગે ન્યારા, કરુ સ્મરણ સાંજ સવાર
ઓ અંતરયામી,ઓ ભોલેશંકર,છે ડમરુ ડમડમ થાય
મુક્તિની માયા લાગી આ દેહે, જીવ બંધાણો તમથી
ભક્તિ મળે જ્યાં પ્રેમે તુજને, હૈયે હામ મળે છે ત્યારે
ઓસીતારામ,ઓ રાધેશ્યામ,ઓ લક્ષ્મીનારાયણદેવ
જીવન જીવવા પ્રેમેપુકાર ઝાલી હાથ અમારો લેજો
સંત સમાગમ સ્નેહે મલેને ઉજ્વળ આ દેહને કરજો
ઓદ્વારકાધીશ,ઓવ્રજવિહારી,રાસ અમો સંગ રમજો
મા માયા તારી ભોલે સંગે, ઑમ નમઃશિવાય જપુ
ડમરુનાનાદે મનડોલતુ આજે,પ્રેમથી મા હું રટણ કરું
ઓ સાંઇબાબા,ઓ જલાબાપા,પ્રેમે પ્રદીપ સ્મરણકરે.
====================================