May 26th 2008

માતાપિતા,સંતાન

                                          ravi-prem.jpg                           

                                             માતાપિતા,સંતાન
૨૬/૫/૨૦૦૮                                                                         પ્રદીપ બ્રહ્મભટ્ટ
 માતા
* પૃથ્વી પરના તારા અવતરણ પહેલાં નવમાસ સતત તારી સંભાળ રાખી પોતાની
   જરુરીયાત અળગી કરે છે તે માતા.
* જન્મ બાદ તારા શરીરના દરેક અંગને પોષણ આપવા પ્રેમથી મહેનત કરે તે માતા.
* પુત્ર કે પુત્રી એતો કર્મનું બંધન છે પણ જેણે જન્મ આપ્યો છે તેને માટે તો તે તેના
   સંતાન છે તે માતા.
* બાળકને ઝુલણા ઝુલાવી અનંત આનંદ આપવાની ઉત્તંગ ભાવના જેમાં છે તે માતા.
* સુખદુઃખ શરીરને છોપડે પણ પોતાના સંતાનને તેનો પડછાયો નાપડવા દે તે માતા.
* સવાર પડતા પહેલા જરુરી બધીજ વસ્તુઓ બાળકનાવિકાસ માટે તૈયારરાખે તે માતા.
* પૃથ્વી પરનાતારા અવતરણને માનઅનેસન્માન મળે તેનો હંમેશા વિચાર કરેતે માતા.
* અજ્ઞાનતામાં રહી તે કરેલ કોઇપણ અપરાધને માફ કરી સમજાવે તે માતા.
* તારા જીવનની સફળતાના દરેક સોપાને સહજતાથી પ્રેમ વરસાવે તે માતા.
* તારા કોઇપણ જાતના પ્રેમના ઉભરાને મેળવી પોતાના પર સંયમ રાખી ભીની આંખે
   હેત વરસાવે તે માતા.

 પિતા
* સંતાનના જીવનને ઉજ્વળતાના સોપાનો પર લઇ જવા પ્રેરીત કરે તે પિતા.
* સંતાનના પૃથ્વી પરના આગમનને બિરદાવતા તે પિતા.
* મારુ સંતાન,મારું બાળકનુ ગૌરવ અનુભવે તે પિતા.
* જન્મ બાદ જીવનના સોપાનો પર આંગળી પકડી ચલાવે તે પિતા.
* જીવનની વિટંમણાઓમાં પાર થવાના દ્વાર બતાવે તે પિતા.
* પુત્રને જીવનની પરીક્ષામાં સફળતાના એંધાણ કરાવે તે પિતા.
* પુત્રીના જીવનની સુવાસ સર્વ રીતે સુલભ બનાવે તે પિતા.
* પિતાપુત્ર અને પુત્રીપિતાના સંબંધથી સંતાનોના જીવનને ઉજ્વળ બનાવે તે પિતા.
* સંતાનોને લાગણી અને ઉચ્ચ જીવન માટે કષ્ટ સહન કરવાની પ્રેરણા આપે તે પિતા.

સંતાન.
* પુત્ર કે પુત્રી, પણ માતાપિતા માટે તો એ સંતાન છે તે ધ્યાનમાં રાખવું.
* માતાએ ભીનામાં સુઇ અને પિતાએ કષ્ટ વેઠીને સંતાનને જીવન આપેલ છે તે ધ્યાનમા
   રાખવું.
* માતાએ માતા છે અને પિતાએ પિતા છે તે બંન્ને સંતાન માટે જન્મદાતા છે.
* માતાનો પ્રેમ એ સંતાનના જીવનના સોપાનનું પ્રથમ પગથીયું છે.
* પિતાનો પ્રેમ એ સંતાનની ઉજ્વળ જીવનનો પાયો મજબુત કરે છે.
* માતાપિતાનો ઉપકાર એ ઉચ્ચકોટીના સંતાનોના મુળમાં છે.
* માતાપિતાનો પ્રેમ એ સંતાનો માટે અમુલ્ય છે જે ચુકવી શકાતો નથી.
* માતાપિતા એ સંતાન માટે સર્વસ્વ છે તેમના વગર સંતાનનું કોઇ વર્ચસ્વ નથી.

*************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment