May 26th 2008

શરણું આપનું સાચું.

                શરણું આપનું સાચું
                       ઓ જલાબાપા ઓ સાંઇબાબા
૨૬/૫/૨૦૦૮                                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં આનંદ ઉભરાતો, ને મનમાં સ્મરણ સંતનું થાય
આજકાલની વિટંમણાઓમાં,જ્યારથી જીવને મુઝવણથાય
                                                …તે સાચા સંતના સ્મરણથી જાય.
ભક્તિનો એકદોર મળ્યો,ને લાગી લગની જલારામબાપાની
આધીવ્યાધીની ના ઉપાધી,પ્રેમથી પ્રભુકૃપાએ ઉકલી જાય
                                                …જે સાચા સંતના સ્મરણથી થાય.
માગણી પરમાત્માથીકરવી,કે સદાઅંતરથીવહે હ્રદયમાંપ્રેમ
લાગણીમાં ના ભટકવું સંસારે,રાખવો સંત જલાસાંઇનો સંગ
                                             …જે ઉજળા જીવનથી સદા છલકાય.
કીર્તન અર્ચન માળા કરતાં, હૈયે રાખવી પ્રભુ સંતથી પ્રીત         
સંસારીસંતની ભક્તિસાચી,છે પરમાત્માને પામવાની રીત
                                   …જ્યાં હાર્યા અવિનાશી ને થઇ સંતની જીત.

*********************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment