May 31st 2008

ઓ કરુણાનિધાન

                           big_sur_main1.jpg                    

                               ઓ કરુણાનિધાન
તાઃ૩૧/૫/૨૦૦૮                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અકળ આ અવતારને સાર્થક તું કરનાર
              જગતના તારણહાર તારા અનંત છે અવતાર
ના મિથ્યા આ જન્મ મળશે તારો આધાર
               તું સર્જનહાર ને તારો સૌ જીવો પર ઉપકાર
                             …ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
માયા લાગી જન્મ મળ્યો જ્યાં જગમાંય
             સ્નેહપ્રેમ ના માગે મળતાં નિર્ધન કે ધનવાન
કૃપા પ્રેમ એ ર્સ્પશે તેને હૈયે જ્યાં જલારામ
             નમન જગમાં મળશે તેને જેના હ્રદયે સાંઇરામ
                              …ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.
આત્માની ઓળખ અજાણ ન કળી કળાય
            જ્યાં શ્રધ્ધાનેવિશ્વાસ આત્મા ઉજ્વળથતો જાય
લગનીલાગે મનથી જ્યારે ભક્તિ થતીજાય
            શક્તિ એવી છે અનોખી જેની તુલનાના કરાય
                              …ઓ કરુણાનિધાન ઓ વિશ્વંભર ભગવાન.

ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment