October 16th 2008

પુ.સુરેશલાલનો જન્મદીન

         
                    પુ.સુરેશલાલનો  જન્મદીન
                           Happy Birthday

                         (તાઃ૧૭/૧૦/૧૯૩૮)

તાઃ૧૭/૧૦/૨૦૦૮                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કાયાના મોહ રહ્યા જ્યાં લાકડી હાથે દીઠી
         ૧૬,૨૭,૫૩ કરતાં કરતાં સીત્તેર થયાં છે આજે
દારેસલામમાં જન્મ થયો સાલ હતી ૧૯૩૮ની 
         પાપા પગલી કરાવતી માતા શારદાબા ત્યારે
પપ્પાપપ્પા કરતા ત્યારે આંગળી પકડીલેતા
         નામ ભગવાનદાસ ને કામ પ્રેમવર્ષાવે સંતાને
અવની પરનું આગમન ઓક્ટોબરની ૧૭મીએ
         મળ્યો માનવ દેહ જેની જગમાં ઉજવતા લાગે
હા ના હા ના કરતા કરતા પરણ્યા  શકુબેનને
    સીએ લંડનમાં થયાં દારેસલામમાં વ્યવસાય કર્યો
મનથીમહેનત કરતાં ત્યાં આવ્યા અમેરીકા સાથે
        રેખા,સપના દીકરીઓ જે વ્હાલ માબાપને કરતાં
જીવ ઉજ્વળ જીવેસાથે વ્હાલ પ્રદીપરમાને કરતાં
       બહેનશકુબેનનીસાથે અમેવ્હાલ સુરેશલાલનેકરતાં
પ્રેમ પામે પ્રદીપરમા ને વ્હાલ મેળવે રવિ,દીપલ
      સંત જલાબાપા ને સાંઇબાબાને પ્રેમેપ્રાર્થના કરીએ
પ્રભુભક્તિને પ્રેમબધાનો મેળવી ઉજ્વળજીવનપામે.
————————————————————————————
    પુ.સુરેશલાલના ૭૦મા જન્મદીને સંત જલારામ બાપા ને સંત સાંઇબાબાને અંતરથી
વંદનસહિત પ્રાર્થના અને વિનંતી કે તેઓને ઉજ્વળ જીવન અને સૌના પ્રેમ સહિતસદા
આનંદમાં રહી પવિત્ર અને પ્રેમે લાંબા આયુષ્ય સાથે જીવન મળે.            
લી.પ્રદીપ તથા પરિવારના જય જલારામ સહિત જય સાંઇરામ.

================================================