June 26th 2009

દયાળુ અવતાર

                    દયાળુ અવતાર

તાઃ૨૫/૬/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુનો પ્રેમ સદા મળી જાય,
                      સાચા ભક્તોના દર્શન થાય
અનંત આનંદ બ્રહ્માંડ તણો,
                     જે જીવને અવનીએ મળી જાય.
                                ……..પ્રભુનો પ્રેમ સદા મળી.
વાણી શ્રધ્ધાને વર્તન જગમાં
                    માણી રહે માનવી ભક્તિના સંગે
દયા કૃપા કે પ્રેમ મળે આ દેહે,
                    જે પર કરુણાસાગરની કૃપા વરસે
સાચા સંતે સ્નેહ રાખી જીવનમાં,
                 પકડી ચાલતા મળે જ્યોત જીવનમાં
                                 ……..પ્રભુનો પ્રેમ સદા મળી.
દયા દાનનો એક સથવારો,
                 જગત જીવને લાગે સદા એ ન્યારો
સાચી ભક્તિની એક બુંદ નિરાળી,
                    પડે જીવનમાં મળે સદા દિવાળી
વિશ્વપિતાની અજબ બલીહારી,
                    લાવે અમૃત ભક્તિ જગમાં તાણી
                               …….. પ્રભુનો પ્રેમ સદા મળી.
ભક્તિ સાચી ને વિશ્વાસ પણ,
                    રાખી શ્રધ્ધા માનવી ભજ્યા કરે
મુક્તિ માર્ગના બને જે સંગાથી,
                      મળે માનવીને જગમાં વૈરાગી
ના માયામાં કદી લબડે પળવાર
                    તેને જગમાં કહે દયાળુ અવતાર
                               ……..પ્રભુનો પ્રેમ સદા મળી.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&૭