June 4th 2009

મેં ની માયા

                   મેં ની માયા

તાઃ૩/૬/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેં મેં કરતા શીખ્યો જ્યારથી,લાકડી છુટી જાય
અભિમાનના ઘેરા વાદળમાં,અંધારુ આવી જાય
બેત્રણ ડગલાં ચાલ્યો જીવનમાં,ના માગુ સહારો
સમજી  બેઠો હું અલબેલો, મેં મેં માં હું  ખોવાણો
                                ……..મેં મેં કરતા શીખ્યો.

અહંકાર મને ઘેરીને બેઠો,ના માગુ હું કોઇ સહારો
બે ડગલાં એકલો હું ચાલ્યો,ના કોઇની બલીહારી
મારીબની મતી નિરાળી,મળી સફળતાની ચાવી
મનમાં જ્યોતજલી એકએવી,મેં ની લાવી વાણી
                                 ……..મેં મેં કરતા શીખ્યો.

કરી ગયા જે કામો અનેક,દઇ ગયા જગમાં જે મહેંક
મળીગઇ મને એકસફળતા,માની લીધીમેં મહાનતા
અભિમાનનાછાયા વાદળ,મેંનીમાયા ચાલી આગળ
એક એક હુ ગણતો રહ્યો,પણ બે ના છેડાને ના જોયો
                                    ……..મેં મેં કરતા શીખ્યો.

()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()

June 4th 2009

નિયમ જગતનો

                  નિયમ જગતનો

 તાઃ૩/૬/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આકુળવ્યાકુળ મનડુ થાય,ને દેહ અહીંતહીં ભટકાય
રાત દિવસ નીંદરના આવે,તેને મુંઝવણ છેકહેવાય
                                ……… આકુળ વ્યાકુળ મનડુ.
માનવમનને સદા સ્નેહછે,જ્યાં સરળ કામ થઇ જાયે
એક એકના આંગણેઆવી,હેત અનુપમ પણ લહેરાય
શ્રધ્ધા મનમાં રાખી એક, જ્યાં માનવી બને  છે નેક
આવી ઉભેલ મુંઝવણના,રસ્તા પણ ત્યાં મળે  અનેક
                                ……… આકુળ વ્યાકુળ મનડુ.
કરતા મનથી કામ આ દેહે,સફળતાના સુર મળી જાય
કોઇ રસ્તો શોધવો ના પડે,આપોઆપ સરળ થઇ જાય
કુદરતની આલીલા ન્યારી,પૃથ્વીએ સદા સ્નેહે લહેરાય
મનમળે ત્યાં માનવતા,ત્યાં સફળતા પણ શરણે થાય
                                 ……… આકુળ વ્યાકુળ મનડુ.
વિશ્વાસના જ્યાં વાદળ આવે,ત્યાં શાંન્તિ  લહેરી જાય
મનની મુંઝવણ ત્યાં ભાગે,જ્યાં પ્રભુ ભક્તિ થઇ જાય
નામદામનુ શરણુ છોડીને,દેહાભિમાન ત્યાં ભાગીજાય
અજબજગતનો એકતાંતણો,જે પાવનમનડાં કરીજાય
                                 ……… આકુળ વ્યાકુળ મનડુ.

=================================