April 16th 2011

જન્મ દીવસ

                          જન્મ દીવસ
                    (મારા પિતાજીનો)

તાઃ૧૬/૪/૨૦૧૧                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપર દેહ મળે પિતાને,નેવુ વર્ષ આજે થયા
      રાહ દીધી સંતાનને પ્રેમે,ઉજ્વળ જીવન દઈ રહ્યા
                         ………..અવનીપર દેહ મળે પિતાને.
મહેનત દીધી મનથી અમને,ઉજ્વળ સોપાને દીઠી
      ભુલને સમજી જીવીજવાની,માનવતા અમને દીધી
                          ………..અવનીપર દેહ મળે પિતાને.
માતાના સંસ્કારને લઈને,વંદન પ્રેમથી સૌને કરતા
      આશીર્વાદની રાહને મેળવતાં,મનથી શાંન્તિને લેતા
                           …………અવનીપર દેહ મળે પિતાને.
ચાર દિકરા ને ચાર દિકરીઓ,સંતાનો એમના થયા
       ભણતર  ચણતર પ્રેમેદેતા,ઉત્સાહી જીવનપામી રહ્યા
                            …………અવનીપર દેહ મળે પિતાને.
ભક્તિનો સંગાથ જીવનને,પ્રભુની રાહ પરખાવી દે
       આવે આંગણે સંત એવા,જીવ જન્મ સફળ જોઇ લે
                            …………અવનીપર દેહ મળે પિતાને.
કૃપા મળતા સૌ સંતાનને,સ્નેહ સંબંધ પકડાઇ રહે
        માતાપિતા એ પ્રભુકૃપાએ,લાંબુ જીવન જીવે જગે
                           ………….અવનીપર દેહ મળે પિતાને.
અંતરથી વિનંતી જલાસાંઇને,પિતાના મળે પુણ્ય
        દેહ દીધો અવનીએ અમને,જગમાં મળે ના મુલ્ય
                             …………અવનીપર દેહ મળે પિતાને.

===================================
               મારા પુજ્ય પિતાજીને આજે ૯૦ વર્ષ પુરા થયા તે
પ્રસંગની યાદ રૂપે લખેલ આ કાવ્ય તેમના જન્મ દીવસે ચરણે 
વંદન સહિત અમારા સૌના જય જલારામ.
લી.પ્રદીપ,રમા,ચી.રવિ,ચી.દીપલ,ચી.નિશીતકુમાર અને ચી.હિમા.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment