નદીને કિનારે
નદીને કિનારે
તાઃ૧૯/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ખળખળ વહેતા ઝરણાનો,જ્યાં સંગ મળી જાય
નિર્મળવહેતી નદી મળતાં,જીવને શાંન્તિ થાય
………..ખળખળ વહેતા ઝરણાનો.
કુદરતની આકળા નિરાળી,ના જીવથી સમજાય
માનવ મનને શાંન્તિ દેતા,નિર્મળ જીવન થાય
વ્હેણ નદીના શીતળતાદે,ને લહેર ઠંડી મેળવાય
નદી કિનારે મળતી ફોરમ,ઝંઝટોનેજ ગળી જાય
……….ખળખળ વહેતા ઝરણાનો.
વાયુ વેગથી ચાલી જાય,તોય ના વ્યાધી દેખાય
મળી જાય શાંન્તિ મનને,એજ પ્રભુ કૃપા કહેવાય
મોહમાયા તો દુરજ ભાગે,ને ઉજ્વળ જીવન થાય
સહવાસમળે જ્યાં ભક્તિનો,ત્યાંપ્રભુપ્રેમ મેળવાય
………..ખળખળ વહેતા ઝરણાનો.
=++++++++++++++++++++++++++++++=