December 13th 2011

શીવજીની ભક્તિ

 .                શીવજીની ભક્તિ

તાઃ૨૯/૧૧/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની ભક્તિ કરતાં,જીવને શાંન્તિજ થાય
કૃપા કેડી જીવનમાં મળતાં,જન્મસફળ થઇ જાય
.                        ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
પ્રેમની રાહ પ્રભુથી મળતાં,આજીવ નાભટકી જાય
મુક્તિકેરા દ્વારખુલતાં,મળેલ જન્મ સફળ પણથાય
ૐ નમઃશિવાય સ્મરણથી,જીવેઅનંત શાંન્તિથાય
ધુપદીપ અર્ચન સહવાસે,અમૃત જીવન થઇ જાય
.                        ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
સોમવારની શીતળ સવારે,શંખનાદ જગે સંભળાય
આંખ ખોલી દર્શનકરતાં,શિવજીની કૃપાય મળીજાય
મા પાર્વતીની અસીમકૃપાએ,સ્વર્ગીય સુખમેળવાય
ગજાનંદની કલમચાલતાં,દેહથીમુક્તિ પણ મળીજાય
.                       ……………ભોલેનાથની ભક્તિ કરતાં.

+++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment