શીવજીની ભક્તિ
. શીવજીની ભક્તિ
તાઃ૨૯/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથની ભક્તિ કરતાં,જીવને શાંન્તિજ થાય
કૃપા કેડી જીવનમાં મળતાં,જન્મસફળ થઇ જાય
. ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
પ્રેમની રાહ પ્રભુથી મળતાં,આજીવ નાભટકી જાય
મુક્તિકેરા દ્વારખુલતાં,મળેલ જન્મ સફળ પણથાય
ૐ નમઃશિવાય સ્મરણથી,જીવેઅનંત શાંન્તિથાય
ધુપદીપ અર્ચન સહવાસે,અમૃત જીવન થઇ જાય
. ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
સોમવારની શીતળ સવારે,શંખનાદ જગે સંભળાય
આંખ ખોલી દર્શનકરતાં,શિવજીની કૃપાય મળીજાય
મા પાર્વતીની અસીમકૃપાએ,સ્વર્ગીય સુખમેળવાય
ગજાનંદની કલમચાલતાં,દેહથીમુક્તિ પણ મળીજાય
. ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
+++++++++++++++++++++++++++++++++++++++++