જીવની પ્રકૃતિ
……………….જીવની પ્રકૃતિ.
તાઃ૨૦/૧૨/૨૦૧૧………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધનવૈભવની ના માયા અમને,કે ના અપેક્ષાય રખાય
ઉજ્વળજીવન જલાસાંઇથીમળતાં,જન્મસફળ થઇજાય
…………………………………ધનવૈભવની ના માયા અમને.
લાગણી કદીના માગી મનથી,કે ના જીવને દુભાવાય
સમયની કેડી સમજી લેતાં,સાચીરાહ પણ મળી જાય
ડગલું એક જીવનમાંભરતાં,મનથી વિચાર હજારથાય
સફળતાની દરેક કેડીએ,જીવને અનંતઆનંદપણથાય
………………………………….ધનવૈભવની ના માયા અમને.
મળતી રાહ જીવનમાં એવી,જે સદમાર્ગેજ દોરી જાય
આફતો આઘી મુકીદે,નેસફળતાના સોપાનો મેળવાય
જીવને મળેલ આમાનવ જન્મ,સાર્થક કર્મોથી બંધાય
ઉજ્વળ કેડી જીવનમાં મળતાં,પ્રભુ કૃપાય મળી જાય
…………………………………..ધનવૈભવની ના માયા અમને.
+++++++++++++++++++++++++++++++