February 27th 2012

આ સંસ્કાર

.                          સંસ્કાર

તાઃ૨૭/૨/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ,જ્યાં સ્નેહ સંસ્કારને સચવાય
આફતોને આંબી જતાં જીવનમાં,કૃપા જલાસાંઇની થઇ જાય
.                                 ………………..ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ.
પગલે પગલાં સમજી ચાલતાં,જીવનમા ના ક્યાંય અટકાય
સરળ જીવનની સફળ કેડીએ,માબાપને આનંદ અનંતથાય
સાચી રીત સંસ્કારની જીવનમાં,દેહના વર્તનથી જ સમજાય
પગે લાગતાં માબાપને આજે,સંતાને આશીર્વાદ વરસીજાય
.                                  …………………ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ.
જય જલારામ જય સાંઇરામનું,સ્મરણ નિત્ય જીવનમાં થાય
કૃપાના વાદળ જીવનમાં રહેતા,ના મોહ માયા કોઇ ભટકાય
હાય બાયને દુર ફેંકતાં જીવનમાં,સૌનો સરળપ્રેમ મળી જાય
સુખ શાંન્તિને સરળપ્રેમ સૌનો,જીવે સાચી ભક્તિએ મેળવાય
.                                  ………………..ઉજ્વળ જીવન ને મળે શાંન્તિ.

+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment