અગણીત લીલા
અગણીત લીલા
તાઃ૧૦/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગત જેના હાથમાં છે,ને દેછે જીવને અવનીએ અવતાર
કયા દેહથી ક્યાં જવાનું છે, ના બીજા કોઇથી એ સમજાય
…..એવી અગણીત લીલા પ્રભુની,જગતમાં અનેક જીવો ભટકાય.
નિર્મળ જીવન ને સંગે શાંન્તિ ,પ્રભુ કૃપાએ જ મળી જાય
આવી અવનીએ દેહ ધરીને,એને કર્મના બંધન કહેવાય
સદમાર્ગ મળે જીવને દેહે,જ્યાં સાચી ભક્તિ મળી જાય
જલાસાંઇની નિર્મળ છે ભક્તિ,કર્મથી મુક્તિને મેળવાય
. ……………….જગત જેના હાથમાં છે.
આવતીઆંધીને બાંધી લેએ,જ્યાં સાચી ભક્તિને જોવાય
પ્રભુકૃપાની લીલા ન્યારી,ના મોહમાયા જીવનમાં દેખાય
ડગલે પગલે મળે શાંન્તિ,જીવનમાં પળપળને સચવાય
અંત દેહનો સરળ બનતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. …………………જગત જેના હાથમાં છે.
++++++++++++++++++++++++++++++++++++++++++++