વ્હાલનું આગમન
. .વ્હાલનું આગમન
તાઃ૮/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદમ કદમની કેડી ન્યારીએ,જીવને સાચીરાહ મળી જાય
ભીની આંખે પ્રેમ ઉભરાતા,સાચા વ્હાલનું આગમન થાય
. …………………..કદમ કદમની કેડી ન્યારીએ.
શીતળતા એ છે સંસ્કાર જીવના,સાચી શ્રધ્ધાએ મેળવાય
ઉજ્વળતાની કેડી ન્યારી બને,જ્યાં સજ્જનતાને સચવાય
વાણીવર્તન એ મળતર જીવના,માબાપનાપ્રેમે મળીજાય
વ્હાલના વાદળ મળે નિખાલસ,જ્યાં ઉજ્વળતા સહેવાય
. …………………….કદમ કદમની કેડી ન્યારીએ.
માટીની આ કાયા અવનીએ,કર્મના બંધને જ ફરતી જાય
ક્યારે ક્યાં એ અટકીજાય,ના જગતમાં કોઇનેય સમજાય
શ્રધ્ધા પ્રેમ ને વિશ્વાસ રાખતાં,જલાસાંઇનીકૃપા થઈ જાય
સાચા વ્હાલનો સંગ મળતાં જીવનો,જન્મ સફળ થઈ જાય
. ……………………કદમ કદમની કેડી ન્યારીએ.
****************************************************