September 26th 2012

વ્હાલની કેડી

.                     વ્હાલની કેડી

તાઃ૨૬/૯/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતાનનો સ્નેહ પામવા કાજે,મા બાપના હૈયા છે હરખાય
જન્મ જીવનો સાર્થકજોતાં,જલાસાંઇની કૃપા થઇ કહેવાય
.                  ……………………સંતાનનો સ્નેહ પામવા કાજે.
નિર્મળતાની  વર્ષા વરસે,ત્યાં  હૈયે હેત સાચુ જ ઉભરાય
કદમ કદમને પકડી ચાલતાં,સંતાને સાચીકેડી જ દેખાય
આશીર્વાદ અંતરથી મળતા,ના  દેખાવની રીત સમજાય
આવેઆંગણે સદાપ્રેમસંગ,સદકર્મના વાદળ વેરાઈ જાય
.               ………………………સંતાનનો સ્નેહ પામવા કાજે.
મારુતારુની નામાયા માબાપને,સંતાનને હેત પ્રેમથી થાય
વ્હાલની કેડી અંતરથી દેતાં,સદા સ્નેહ સાચી મળી જ જાય
ના લાગણી વળગે જીવને,કે ના મોહ માયા ક્યાંય ભટકાય
લીધી સાચી રાહ જીવનમાં,જ્યાં સાચી ભક્તિરાહ મેળવાય
.                  …………………….સંતાનનો સ્નેહ પામવા કાજે.

=================================