ભક્તિ ભાવના
. ભક્તિ ભાવના
તાઃ૨૪/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન કરતાં ભક્તિભાવથી,આજે જીવને શાંન્તિ થઇ
મોહમાયાની ચાદર છુટતાં,ઉજ્વળપ્રભાત મળી ગઈ
. …………………ભજન કરતાં ભક્તિભાવથી.
કર્મના બંધન કેડી બને,જે જીવને માર્ગ બતાવી જાય
નિર્મળતાનો સંગરાખતાં,ના વિચાર વ્યર્થ બની જાય
મળતાપ્રેમ જલાસાંઇનો જીવને,સુખશાંન્તિમળી જાય
માર્ગસાચો મળતાજીવને,સ્વર્ગનાદ્વાર પણખુલી જાય.
. ………………. ભજન કરતાં ભક્તિભાવથી.
મારુની ના રહે માયા જીવને,જ્યાં તારુ સમજાઇ જાય
વળગેલી માયાને છોડતાં જ,સ્નેહ સાગર સ્પર્શી જાય
શાંન્તિ શાંન્તિ મળતી ચાલતા,જન્મ સફળ થઈ જાય
કૃપા જલાસાંઇની મેળવીલેતાં,મોહમાયા ભાગી જાય
. …………………..ભજન કરતાં ભક્તિભાવથી.
++++++++++++++++++++++++++++++++++++++++