જોગી જલીયાણ
.
.
.
.
.
.
.
.
.
.
.
. .જોગી જલીયાણ
તાઃ૨૦/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તમે વિરપુરના રહેવાસી,કરો છો ભક્તિ પ્રેમથી સાચી
મનમંદીરના દ્વાર ખોલવા,આવ્યા જગત અંતરયામી
. ……………………તમે વિરપુરના રહેવાસી.
માળાહાથમાં શ્રધ્ધાએ લેતા,સાચવી જીવનમાં વાણી
વિરબાઇ માતાના સંગે જીવનની,ઉજ્વળ કેડી માણી
ભક્તિ ભાવને પારખી લેતાં,પ્રભુની પ્રીત પણ આણી
નિર્મળપ્રેમે પ્રભુને ભજતાં,જીવનમાં પ્રભુકૃપાનેપામી
. …………………… તમે વિરપુરના રહેવાસી.
અન્નદાન એ કૃપા પ્રભુની,સાચી રાહ જીવનમાં જાણી
આંગણે આવેલ પામર જીવને,ભક્તિની રાહ આપી
રામનામની માળા કરતાં,જીવનમાં શીતળતા આણી
જોળી ઝંડો છોડી ભાગતાં,પ્રીતે પ્રભુની પરિક્ષા પામી
. ………………………તમે વિરપુરના રહેવાસી.
=====================================