સાંકળની સમજ
. .સાંકળની સમજ
તાઃ૧/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનું,કર્મનું બંધન એ કહેવાય
જીવનો સંબંધ જીવથી રહે,એને લોહીનો સંબંધ સમજાય
. ………………….અવનીપરનુ આગમન જીવનું.
કરેલ સત્કર્મ જીવનમાં,એ જીવને સદમાર્ગે જ દોરી જાય
આવી અવનીપર એસમજતા,પાવનકર્મ જીવનમાં થાય
મળે માર્ગ ભક્તિનો સાચો,જે થકી કૃપા જલાસાંઇની થાય
ભક્તિની સાંકળ છે નિરાળી,જીવને મુક્તિમાર્ગે દોરી જાય
. …………………. અવનીપરનુ આગમન જીવનું.
અનીતિનો માર્ગ પકડતા દેહ,લોખંડની સાંકળથી જકડાય
પડેમાર લાકડીનોદેહને,જે થકી આખુ જીવન વેડફાઇ જાય
સાંકળની સમજ પડે જો જીવને,તો ભક્તિનીએ પકડી જાય
કળીયુગની સાંકળમાં ફસાતાં,જન્મમૃત્યુથી એ બંધાઇ જાય
. …………………..અવનીપરનુ આગમન જીવનું.
++++++++++++++++++++++++++++++++++++++