October 25th 2013

મુક્તિમાર્ગ

.                     .મુક્તિમાર્ગ

તાઃ૨૫/૧૦/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની નિર્મળતા,એ સરળજીવન દઈ જાય
પ્રેમની સાંકળ સ્નેહથી મળતા,મુક્તિમાર્ગ મળી જાય
.             …………………..માનવજીવનની નિર્મળતા.
દેહમળતા અવનીએ જીવને,જન્મમરણનું બંધન થાય
જન્મ મળે જ્યાં અવનીએ,ત્યારથી સંબંધ મળતા જાય
કર્મની નિર્મળ કેડી પકડીને ચાલતા,પ્રભુ કૃપા થઈ જાય
માનવતાનીમહેંક પ્રસરતા,જીવનો જન્મસફળ થઇજાય
.           ……………………માનવજીવનની નિર્મળતા.
અપારકૃપા મળે જીવને,જ્યાં નિર્મળભક્તિ મનથી થાય
મોહ માયાની ચાદર છુટતાં,પાવન કર્મ જીવનમાં થાય
જલાસાંઇની નિર્મળભક્તિ,જીવનેઉજ્વળરાહ આપીજાય
ભક્તિપ્રેમની સાચીજ્યોતલેતા,જીવનાબંધન છુટી જાય
.            ……………………માનવજીવનની નિર્મળતા.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment