માનવ મન
. . માનવ મન
તાઃ૪/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુ પ્રેમને પારખી ચાલતા,ઉજ્વળ રાહ મળી જાય
નિરાધારનો આધાર બનતા જ,માનવમન હરખાય
. ……………….પ્રભુ પ્રેમને પારખી ચાલતા.
શીતળ રાહ જીવનમાં મળતા,સુખ શાંન્તિને સ્પર્શાય
આવતી વ્યાધીઓ દુર રહેતા,નિર્મળતાનો સંગ થાય
પવિત્રજીવન ભક્તિસંગે જીવતા,ઉજ્વળતા સહેવાય
અવનીના આગમનને સમજતા,માનવમન મલકાય
. …………………પ્રભુ પ્રેમને પારખી ચાલતા.
નિર્મળ જીવન જગે જીવતા,મળેલ આજન્મ સાર્થક થાય
અભિમાનઆદરની કેડીને મુકતા,સંત જલાસાંઇ હરખાય
આવી આંગણે કૃપા મળતા જીવને,રાહ સાચી મળી જાય
માનવજીવન ઉજ્વળ થતાં,મળેલ જન્મસફળ થઈ જાય
. ………………….પ્રભુ પ્રેમને પારખી ચાલતા.
==============================