અપેક્ષાના વાદળ
. . અપેક્ષાના વાદળ
તાઃ૬/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે અવનીએ જીવને,કર્મની કેડીએથી બંધાય
નિર્મળજીવનને શીતળરાહ,સાચી ભક્તિએ મેળવાય
. ………………….જન્મ મળે અવનીએ જીવને.
માનવદેહની ઉજ્વળતા,સમયને સમજીને મેળવાય
અપેક્ષાના વાદળ ને છોડતાજ,મન નિર્મળ થઈ જાય
સદવિચારની શીતળ કેડીએ,માનવતા મહેંકતી જાય
વણ કલ્પેલ સફળતા એજ,પરમાત્માની કૃપા કહેવાય
. …………………જન્મ મળે અવનીએ જીવને.
ભણતરની રાહે જીવનમાં,જ્ઞાનની જ્યોત પ્રગટી જાય
મહેનત સાચી મનથી કરતા,સફળતાઓ મળતી જાય
ભક્તિ ભાવના મનમાં રાખતા,નિખાલસતા મળીજાય
કૃપામળે જલાસાંઇની જીવને,મુક્તિમાર્ગેએ દોરી જાય
. …………………..જન્મ મળે અવનીએ જીવને.
=================================