November 13th 2013

શ્રધ્ધા સંગ ભક્તિ

.                 . શ્રધ્ધા સંગ ભક્તિ

તાઃ૧૩/૧૧/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન ભક્તિમાં શ્રધ્ધા રાખતા,જીવ પાવન થઈ જાય
મળેલ દેહ અવનીએ જીવને,પાવનકર્મથી મહેંકી જાય
.                 ………………..ભજન ભક્તિમાં શ્રધ્ધા રાખતા.
નિર્મળતાનો સંગ રાખીને,સાચા સંતને પ્રેમે વંદન થાય
આશિર્વાદની એક જ કેડીએ,જીવની ઝંઝટો ભાગતી જાય
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં સંસારીજીવન પણ જીવાય
ના મોહમાયાની ચાદરઅડકે,જ્યાં શ્રધ્ધા સંગ ભક્તિથાય
.               …………………ભજન ભક્તિમાં શ્રધ્ધા રાખતા.
કુદરતની મળે કૃપા અનેરી,જ્યાં જીવ ભક્તિના પ્રેમે બંધાય
લાગણી મોહને નેવે મુકતા,અવનીએ માનવતા મહેંકી જાય
સરળતાનો સાથ મળે જીવને,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
જન્મ મરણના બંધન છુટે જીવના,ને મુક્તિ માર્ગ મળી જાય
.              …………………..ભજન ભક્તિમાં શ્રધ્ધા રાખતા.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment