December 3rd 2013

શીતળતાનો સંગ

.                   શીતળતાનો સંગ                         

તાઃ૩/૧૨/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મહેંકી ઉઠતા,આ જન્મ સફળ થઈ જાય
શીતળતાનો સંગ રાખતા,મળેલ જીવન ઉજ્વળ થાય
.                  ………………….માનવજીવન મહેંકી ઉઠતા.
કર્મની કેડી નિર્મળ બને,જ્યાં સમજીનેજ ડગલુ ભરાય
આવતી કાલનો વિચાર કરતાં,આજને કદીના ભુલાય
મળે જીવને માયા અવનીએ,પ્રભુની કૃપાએજ છુટાય
સમજી વિચારી જીવનજીવતા,નાવ્યાધીઓ અથડાય
.                 …………………..માનવજીવન મહેંકી ઉઠતા.
માનવ દેહ મળે જીવને,જે કર્મના બંધનથી સચવાય
ઉજ્વળ જીવનની રાહમળે,જ્યાં આશીર્વાદ મળીજાય
વડીલને વંદન પ્રેમથી કરતાં,નિર્મળ જીવન થઈ જાય
જલાસાંઇની એકજ કૃપાએ,અવનીનાબંધન છુટી જાય
.                ……………………માનવજીવન મહેંકી ઉઠતા.

++++++++++++++++++++++++++++++++++