શીતળતાનો સંગ
. શીતળતાનો સંગ
તાઃ૩/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન મહેંકી ઉઠતા,આ જન્મ સફળ થઈ જાય
શીતળતાનો સંગ રાખતા,મળેલ જીવન ઉજ્વળ થાય
. ………………….માનવજીવન મહેંકી ઉઠતા.
કર્મની કેડી નિર્મળ બને,જ્યાં સમજીનેજ ડગલુ ભરાય
આવતી કાલનો વિચાર કરતાં,આજને કદીના ભુલાય
મળે જીવને માયા અવનીએ,પ્રભુની કૃપાએજ છુટાય
સમજી વિચારી જીવનજીવતા,નાવ્યાધીઓ અથડાય
. …………………..માનવજીવન મહેંકી ઉઠતા.
માનવ દેહ મળે જીવને,જે કર્મના બંધનથી સચવાય
ઉજ્વળ જીવનની રાહમળે,જ્યાં આશીર્વાદ મળીજાય
વડીલને વંદન પ્રેમથી કરતાં,નિર્મળ જીવન થઈ જાય
જલાસાંઇની એકજ કૃપાએ,અવનીનાબંધન છુટી જાય
. ……………………માનવજીવન મહેંકી ઉઠતા.
++++++++++++++++++++++++++++++++++