December 23rd 2013

ભક્તિનો પથ

.                 ભક્તિનો પથ

તાઃ૨૩/૧૨/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળાનાથની  ભક્તિકરતાં,જીવને સુખશાંન્તિ મળી જાય
મોહમાયાની ચાદર છુટતા,જીવનો જન્મ સફળ થઇ જાય
.                     …………………ભોળાનાથની  ભક્તિ કરતાં.
શીતળતાનો સંગ રહેતા,શ્રી ભોળાનાથની કૃપા થાય
પામર જીવને રાહમળતા,સાચો ભક્તિપથ મળી જાય
નિર્મળ ભાવનાએ પુંજન કરતાં,વ્યાધીઓ ભાગી જાય
પરમાત્માનીપરમકૃપાએ,જીવને રાહ સાચી મળીજાય
.                 ………………….. ભોળાનાથની  ભક્તિ કરતાં.
ધર્મ કર્મની કેડી સમજતા,સાચીમાનવતા મહેંકી જાય
અવનીપરના આગમનને બીરદાવતા,પુંજાપ્રેમે થાય
ભક્તિપથની અજબ શક્તિની,કૃપા જીવ પરથઈ જાય
જીવને મળેલ આમાનવદેહ ,ઉજ્વળ રાહને પક્ડી જાય
.                  ……………………ભોળાનાથની  ભક્તિ કરતાં.

==================================