December 16th 2013

ઉજ્વળ રાહ

.                    ઉજ્વળ રાહ

તાઃ૧૬/૧૨/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભણતરની સાચી  કેડીએ ચાલતા,જીવન ઉજ્વળ થાય
નિર્મળ ભક્તિ મનથી કરતાં,આ જન્મ સફળ થઈ જાય
.           ………………..ભણતરની સાચી  કેડીએ ચાલતા.
અવનીપરના આગમનથી,કળીયુગમાં આ જીવ ફસાય
મોહમાયાની ચાદર પડતાજ,કર્મની કેડી  બદલાઇ જાય
સમજણની સરળરાહ પકડતા,ભણતરનીકેડી મળી જાય
જ્ઞાનની સમજ મનનેમળતા,આવતી આફતથી છટકાય
.          …………………ભણતરની સાચી  કેડીએ ચાલતા.
ભક્તિભાવએ જ્યોત જીવની,જીવનેરાહ સાચી મળી જાય
મનથી કરેલ નિર્મળ ભક્તિએ,જલાસાંઇનીકૃપા થઈ જાય
એકજ દ્રષ્ટિ પરમાત્માનીપડતા,જીવને શાંન્તિ આપી જાય
અવનીથી જીવને વિદાય મળતા,સ્વર્ગનીસીડી મળી જાય
.         ………………….ભણતરની સાચી  કેડીએ ચાલતા.

================================