ક્યાં મળે
. ક્યાં મળે
તાઃ૨૬/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવીમનની શોધ અનેક,જેમાંઅવનીએ જીવન પુરૂ થાય
અહીતહીંની આંટીઘુટીમાંજ,ક્યાં મળેમાં સમયવેડફાઇ જાય
. …………………માનવીમનની શોધ અનેક.
અજબલીલા અવિનાશીની,ના જગતમાં કોઇથીય સમજાય
અવનીપરનુ આગમન એછે કર્મનીકેડી,દેહ મળતાજ દેખાય
પામર જીવને પવિત્ર કરવા,જીવથી સાચી ભક્તિરાહ લેવાય
મળે કૃપા સંત જલાસાંઇની,ત્યાં મળેલ જન્મ સફળ થઈ જાય
. ………………….. માનવીમનની શોધ અનેક.
મળેલ માનવ દેહ જીવને,જન્મ મરણની સમજણ આપી જાય
કળીયુગની આ મોહમાયાને છોડતા,સત્કર્મ જ જીવનમાં થાય
તનમનધનથી મુક્તિ પામવા,સાચી શ્રધ્ધાથીજ ભક્તિ થાય
મળે જ્યાં કૃપા શ્રીભોળાનાથની,અવનીનુ આગમન છુટીજાય
. ……………………..માનવીમનની શોધ અનેક.
===================================