અટલ વિશ્વાસ
. અટલ વિશ્વાસ
તાઃ૨૭/૧૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાનો સંગ રાખતા,આ પામર જીવન પાવન થાય
અટલ વિશ્વાસની એક જ કેડીએ,આ જીવન ઉજ્વળ થાય
. ………………….નિર્મળતાનો સંગ રાખતા.
લઘર વઘર થઈ ચાલતી ગાડી,કળીયુગની એ છે કતાર
મનને મક્કમ રાખી ચાલતા,મળેલ જીવન નિર્મળ થાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનાઆગમનને અટકાવી,મુક્તિરાહ મળીજાય
. …………………..નિર્મળતાનો સંગ રાખતા.
મારૂતારૂની માયા કળીયુગી,ના કોઇ જીવથીય છટકાય
ભેટ દાનની છે ભીખ અનોખી,માનવતાને હટાવી જાય
મોહમાયાના એક જ સ્પર્શથી,આ જીવન લબદાઇ જાય
મળીજાય જીવને રાહમુક્તિની,અટલ વિશ્વાસે સહેવાય
. ……………………નિર્મળતાનો સંગ રાખતા.
=================================