ભક્તિપુંજન
. .ભક્તિ પુંજન
તાઃ૧૩/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેળ દેહ અવનીએ,જીવનુ આગમન કહેવાય
નિર્મળ જીવન જીવવા,જલાસાંઇની ભક્તિ પુંજન થાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
સરળજીવનની રાહ લેવા,શ્રધ્ધા એ ભક્તિપુંજન થાય
જીવને શાંન્તિ મળે કૃપાએ,જે જીવનની રાહથી દેખાય
મનથી કરેલ કર્મ જીવનમાં,નિખાલસતાને આપી જાય
વર્ષે વર્ષા પરમાત્મા પ્રેમની,જે જન્મને સાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
ધર્મકર્મને સમજીને જીવતા,મનુષ્યજીવન પાવન થાય
ના અભિમાનની કેડી અડે,કે ના કોઇ મોહ જીવનમાંથાય
ભક્તિની સાચી રાહ પકડી લેતા,જલાસાંઇનું પુંજન થાય
આંગણે આવી કૃપા મળે જીવને,જે જન્મ સાર્થક કરી જાય
………એ જ જીવને શાંન્તિ આપે,ને પુણ્ય કર્મથી જીવન બંધાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%