March 19th 2017
. .અંતરની અભિલાષા
તાઃ૧૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગણી મારીના મનથી કોઈ,કે નાકોઇ અંતરની અભિલાષા
પાવનરાહની પકડી કેડી ચાલતા,ના મળતી કળીયુગની કાયા
............એ જ કૃપા જલાસાંઈની,જે જીવનમાં નિર્મળરાહ આપી જાય.
માનદેહના બંધન અનેરા,જગતમાં ના કોઇ જીવથી છટકાય
મળે માનવતાની નિર્મળકેડી,જે જીવને સદમાર્ગેજ લઈ જાય
ભક્તિમાર્ગની શીતળરાહે જીવતા,નાઅપેક્ષા કોઈ અડી જાય
આવી આંગણે કૃપા પરમાત્માની,જે જીવનમાં અનુભવ થાય
............એ જ કૃપા જલાસાંઈની,જે જીવનમાં નિર્મળરાહ આપી જાય.
કળીયુગ સતયુગ એ છે લીલા અવિનાશીની,દેહ મળે સમજાય
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,નાદેખાવ કે માળા અડીજાય
શ્યામ રામના બંધન અવનીએ,જે પરમાત્માની જ કૃપા કહેવાય
મા રાધા મા સિતાજી એ દેહના બંધન,સતયુગથીજ સ્પર્શી જાય
............એ જ કૃપા જલાસાંઈની,જે જીવનમાં નિર્મળરાહ આપી જાય.
===============================================
No comments yet.