March 25th 2017
..
. .નજરની અસર
તાઃ૨૪/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ જીવનની રાહે જીવતા,સમયથી સચવાઈ જવાય
પ્રેમ ભાવના એજ સંબંધનીરાહ,માનવતાને સ્પર્શી જાય
.......જીવન નિખાલસ જીવતા,કળીયુગની કેડી પણ અડી જાય.
પવિત્રપ્રેમની નજર પડે દેહ પર,ના આંટીઘુટી અથડાય
પરમાત્માનીકૃપા પામવા આંગળીચીંધે,અનુભવે સમજાય
ના કોઇ તકલીફ અથડાય,કે ના કોઇ માગણી રખાય
મળે જીવનમાં શાંંતિનીવર્ષા,જે પવિત્ર જીવનઆપીજાય
.......જીવન નિખાલસ જીવતા,કળીયુગની કેડી પણ અડી જાય.
કળીયુગની કેડીમાં નજરપડે,જે ઇર્શાની નજર કહેવાય
મોહનીચાદર સ્પર્શે દેહને,જીવનેએ આફત આપી જાય
દેખાવને ના સમજે માનવી,ત્યાં તકલીફો મળતી જાય
એજ નજરની અસરછે અવનીએ,સમયે સમજાઇ જાય
.......જીવન નિખાલસ જીવતા,કળીયુગની કેડી પણ અડી જાય.
================================================
No comments yet.