મા ભક્તિ
. .મા ભક્તિ
તાઃ૨૮/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા તારી ભક્તિ શ્રધ્ધાએ કરતાં,પાવનરાહ જીવને મળી જાય ગરબે ઘુમતા તાલી પાડતાં,માડી તારા ઝાઝરીયાય સંભળાય ........એ જ પાવન ભક્તિ મા તારી,જીવન ઉજવળ એ કરી જાય. પાવાગઢથી મા કાળકા આવ્યા,સંગે આરાશુરથી અંબામાડી નિર્મળ ભક્તિસંગે ગરબેઘુમતા,માડીનો અનંતપ્રેમ મળી જાય મળેલદેહને સ્પર્શેભક્તિ જીવનમાં,ત્યાં માતાને તાલીએ પુંજાય કૃપાનોસાગર વરસે અવનીએ,જ્યાં કળીયુગ દુર ભાગી જાય ........એ જ પાવન ભક્તિ મા તારી,જીવન ઉજવળ એ કરી જાય. ચામુંડામાતાની કૃપા વરસે,ને દશામાતાના દર્શન પણ થાય પવિત્રભુમી ભારતની જગતે,જ્યાં પરમાત્માય દેહ લઈ જાય અનેક સ્વરૂપે અવનીએ આવ્યા,જે પુંજાનામાર્ગે દોરી જાય માનવદેહ મળેલ જીવને,શ્રધ્ધાએ જન્મ મરણથી છુટી જાય ........એ જ પાવન ભક્તિ મા તારી,જીવન ઉજવળ એ કરી જાય. ==================================================