મા નવ દુર્ગા
. . મા નવ દુર્ગા
તાઃ૩૧/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ માડી તારા મંદીરે આવતા,જીવને અનંત શાંંન્તિ મળી ગઇ નિર્મળ ભક્તિના સંગે ગરબે ઘુમતા,માકૃપા તારી થઈ ગઈ .......પાવનકૃપા મા નવ દુર્ગાની,જીવની જ્યોત પ્રગટાવી ગઈ. તાલીપાડી માદુર્ગાનુ સ્મરણ કરતા,માતાનીકૃપાની વર્ષા થઈ શ્રધ્ધા રાખી તારી ભક્તિ કરતા,માતાની નિર્મળ ભક્તિ થઈ માનવદેહને જ્યાં કૃપા મળે,ત્યાં જીવને મુક્તિરાહ મળી ગઈ ગરબાનીપવિત્રરાહ નવરાત્રીએ મળે,ત્યાં માડીના દર્શન થાય .......પાવનકૃપા મા નવ દુર્ગાની,જીવની જ્યોત પ્રગટાવી ગઈ. અજબ શક્તિશાળી માદુર્ગા,અનેક સ્વરૂપેદર્શન આપી જાય વંદન કરીને પુંજન કરતા,માડી તારા ગરબા પ્રેમથીજ ગવાય ગરબેઘુમી તાલી પાડી મા ભજન કરતા,આનંદ આનંદ થાય નવ સ્વરૂપને પગે લાગતા,માડીની અનંત કૃપાય મળી જાય .......પાવનકૃપા મા નવ દુર્ગાની,જીવની જ્યોત પ્રગટાવી ગઈ. ================================================