August 13th 2017
. .કુદરતને સન્માન
તાઃ૧૩/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને અવનીએ સમજણ મળે,જે અનેકરાહે જીવનમાં મેળવાય
કુદરતની અજબ શક્તિ છે જગતમાં,સમયને સમજતા જીવને અનુભવ થાય
.....પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ જીવન નિર્મળ ભક્તિએ મળી જાય.
સફળતાનો સંગાથ મળે કુદરતકૃપાએ,જે નિર્મળ માનવ જીવનમાં અનુભવાય
સમય જગતમાં ના કોઇથીય પકડાય,કે ના કોઇજ જીવથી દુર પણ રહેવાય
અનેક જીવ અવનીપર આગમન કરે,પશુ પક્ષી પ્રાણી કે માનવદેહથી દેખાય
એજ કૃપા કુદરતની જગતપર દેખાય,જેનાથી પવિત્રરાહ મળતા સન્માન થાય
.....પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ જીવન નિર્મળ ભક્તિએ મળી જાય.
ધર્મના બંધન છે દરેક જીવને અવનીએ,જે થકી જીવથી પાવન ભક્તિ થાય
શ્રધ્ધા રાખીને પુંજન કરતા દેહ પર,નિર્મળભક્તિ રાહે પરમાત્માની કૃપા થાય
મળેલ દેહને પવિત્ર જીવનનો સંગાથ મળે,ના કોઇજ મોહ માયા સ્પર્શી જાય
કરેલ સન્માન કુદરતનુ દેહથી,સંત જલાસાંઇની પ્રેરણા મુક્તિમાર્ગ આપી જાય
.....પાવનરાહ મળે દેહને જીવનમાં,જ્યાં નિખાલસ જીવન નિર્મળ ભક્તિએ મળી જાય.
================================================================
August 12th 2017
. .મા મેલડી
તાઃ૧૨/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા મેલડીની પરમ કૃપાએ પ્રદીપને,જીવનમાં અનંત શાંન્તિ મળી જાય
પાવનરાહની પવિત્રકેડીએ જીવતા,સંબધીઓ સંગે સંસારમાં આનંદ થાય
......એજ માતા મેલડીની કૃપા મળે,જ્યાં માડી વલાસણથી હ્યુસ્ટન આવી જાય.
કૃપાની પાવન દ્રષ્ટિ પડતા માતાની,જીવનમાં નાકોઇ જ તકલીફ મેળવાય
ઉજવળ જીવનનીરાહ મળે સંતાનને,ત્યાંજ માતાની કૃપાનો અનુભવ થાય
લાગણી માગણીને દુર રાખીને જીવતાજ,સરળ જીવનનો સાથ મળી જાય
માતા મેલડી છે અજબશક્તિશાળી કૃપાળુ,જેના દર્શને શાંંન્તિની વર્ષાથાય
......એજ માતા મેલડીની કૃપા મળે,જ્યાં માડી વલાસણથી હ્યુસ્ટન આવી જાય.
મળે જીવનમાં અખંડશાંંન્તિ દેહને,જે માતાનીકૃપા જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
માતાનુ આગમન થતાં ઘરનું આંગણુ પવિત્ર થાય,જે અનુભવ આપી જાય
ના જીવનમાં કોઇ જ અશાંંન્તિ આવે,નાકોઇ જ તકલીફ પણ અડી જાય
માતા મેલડીને શ્રધ્ધાએ વંદન કરતા,મારા કુળમાં માતાની કૃપાય થઈ જાય
......એજ માતા મેલડીની કૃપા મળે,જ્યાં માડી વલાસણથી હ્યુસ્ટન આવી જાય.
============================================================
August 12th 2017
.....
.....
. .શક્તિશાળી ભક્ત
તાઃ૧૨/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાહુબલી હનુમાન જેના શ્રીરામ છે સુત્રધાર,એવા અજબ શક્તિશાળી ભકતએ કહેવાય
જેની પાવનરાહ ઉત્તમ હતી જીવનમાં,જે થકી રામનીકૃપાએ રાવણનુ દહનએ કરી જાય
.....પિતા પવનદેવની પરમકૃપાએ માતા અંજનીદેવી થકી પાવનદેહ પામી પવિત્રરાહ આપી જાય.
શ્રધ્ધાનોસંગ રાખી જીવનમાં ગદાના સાથે,પરમ પવિત્રદેવના દેહને એશક્તિ આપી જાય
માતાનોદેહ અવનીપર સીતાજીથી ઓળખાય,ભક્તિથીકૃપા મેળવી રાવણ દુષ્કર્મકરી જાય
લંકાપતિ રાજા રાવણ ભોલેનાથની ભક્તિ કરી,રામ પત્ની સીતાજીને જંગલમાં લાવી જાય
અવનીપર શ્રી રામથી સીતાજીને ના શોધાય,ત્યાં ભક્ત શ્રીહનુમાન પાવનરાહે શોધી જાય
.....નિર્મળ ભાવનાએ કરેલ ભક્તિ હનુમાનજીની,પ્રભુ શ્રી રામના ભાઇ લક્ષ્મણનેએ જીવાડી જાય.
ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખં કુરૂફત સ્વાહા,મંત્રનુ સ્મરણ કરી વંદન કરતા પુંજાય
હનુમાનજીની અજબ શક્તિની કૃપા થાય જીવને,જે થકી નાઆફત કે કોઇવ્યાધી અથડાય
પાવનરાહની જ્યોત પ્રગટે જીવનમાં,એ શનિવાર કહેવાય જે હનુમાનજીને રાજી કરી જાય
મળેલ દેહના જીવનમાં ઉજવળ જ્યોત પ્રગટી જાય,જ્યાં નાકોઇ મોહમાયાનો સંબંધ થાય
.....એ અજબકૃપા બજરંગબલી હનુમાનની,જે જોઇ પરમાત્મા શ્રી રામને ખુબ આનંદ થઈ જાય.
========================================================================
August 10th 2017
.....
.....
. .શ્રધ્ધા પ્રેમ
તાઃ૧૦/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ થાય
મળેલ કૃપા પરમાત્માની જીવને,એજ પવિત્ર જીવનની રાહ બની જાય
......મળે સંત જલાસાંઇની કૃપા જીવને,જ્યાં ગુરૂવારે પ્રેમથી પુંજન થાય.
માનવજીવનની મહેંક પ્રસરે અવનીએ,જ્યાં કુદરતની જ્યોત પ્રગટીજાય
શ્રધ્ધા સંગે ભક્તિકરતા પ્રભુની,જીવને મળેલ દેહને પણએ સ્પર્શી જાય
કર્મના બંધન તો જીવને જકડે,જે અનેક જીવો થકી દેહને મળતો જાય
નાકોઇ જીવથી છટકાય અવનીએ,જેપવિત્રલીલા અવીનાશીની કહેવાય
......મળે સંત જલાસાંઇની કૃપા જીવને,જ્યાં ગુરૂવારે પ્રેમથી પુંજન થાય.
રામનામની માળા શ્રધ્ધાએ જપતા,પવિત્રરાહે પરમાત્મામાર્ગ આપી જાય
ના જીવનમાં કોઇ અપેક્ષા રહે,કે ના કોઇ મોહમાયા પણ સ્પર્શી જાય
મળેલ દેહ એતો બંધન પુર્વજન્મના,જે જીવ સંબંધથી જ જકડાતો જાય
આવનજાવન એ જ્યોતજીવની,જે પવિત્રશ્રધ્ધાએ જીવને પ્રેમ આપી જાય
......મળે સંત જલાસાંઇની કૃપા જીવને,જ્યાં ગુરૂવારે પ્રેમથી પુંજન થાય.
========================================================
August 9th 2017
. .મળેલ માન
તાઃ૯/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની ગંગા વહેતા જીવનમાં,પરમાત્માની પરમકૃપા થઈ જાય
નાસ્પર્શે દેહને કળીયુગની કેડી,જે મળેલ દેહને સન્માન આપી જાય
.....એજ પાવનરાહ છે દેહની અવનીએ,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
કર્મના બંધન સ્પર્શેદેહને જગતમાં,જે જન્મમરણના બંધનથી સમજાય
માનવદેહ એજ કૃપાછે પરમાત્માની,દેહથી થતા કર્મ વર્તનથી દેખાય
અજબ શક્તિ છે નિર્મળ ભાવે કરેલ ભક્તિની,જે સદમાર્ગે લઈ જાય
સમજણનો સંગાથ એજ પાવનરાહની કેડી,એ પ્રભુકૃપાએજ મેળવાય
.....એજ પાવનરાહ છે દેહની અવનીએ,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
દેખાવની દુનીયા એછે કળીયુગની કેડી,જીવનમાં આફત આપી જાય
મળે અનેક જીવોનોપ્રેમ દેહને જીવનમાં,જ્યાં નિર્મળભાવનાએ જીવાય
ના જીવનમાં કોઇ અપેક્ષારહે,જ્યાં શ્રધ્ધાએ જલાસાંઇની ભક્તિ થાય
મળે જીવનમાં માન અને સન્માન દેહને,જે જીવને મુક્તિમાર્ગ દઈજાય
.....એજ પાવનરાહ છે દેહની અવનીએ,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
========================================================
August 8th 2017
..
...
. .સમયનો સંગાથ
તાઃ૮/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહને મળે પાવન રાહ અવનીએ,જ્યાં જીવનમાં સમયનો સંગાથ મેળવાય
પવિત્રરાહને પામીને જીવતા દેહને,અનેકનો અનંત નિખાલસપ્રેમ મળીજાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
સમય ના પકડાય કોઇથીય જગતમાં,એ મળેલ દેહને મૃત્યુ સુધી લઈ જાય
આવનજાવન એબંધનછે દેહના અવનીએ,જે કુદરતની અજબકૃપા કહેવાય
કરેલકર્મ એ જીવનનીકેડી જગતપર,એસમયને સમજીને નિર્મળતાએ જીવાય
પાવનપ્રેમની રાહ મળે દેહને,જ્યાં નિખાલસ રાહે પરમાત્માને પ્રાર્થના થાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
નિર્મળ ભાવના એ પવિત્ર રાહ છે જીવની,ના અપેક્ષાનીકેડી કોઇ શોધાય
એજકૃપા સંત જલાસાંઇની પ્રદીપપર,પવિત્રભક્તિની નિર્મળરાહ આપી જાય
નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,કે ના કોઇજ મોહમાયાનો સંબંધ પણ થાય
કૃપાએ ના જીવને જન્મની કેડી મળે,જે દેહને અંતે મુક્તિ માર્ગથી સમજાય
.....મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,જે જીવને પવિત્રપ્રેમની રાહ આપી જાય.
===============================================================
August 7th 2017
.....
.....
. .રાખડી પ્રેમ
તાઃ૭/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની રાહ મળે ભાઈને,જ્યાં રક્ષાબંધન નિમીત્તે રાખડી બંધાન
ભાઇના હાથને પકડી લઇ બહેન,પરમ પ્રેમની ગંગાને વહેવડાઈ જાય
.....એવો આતહેવાર વર્ષમાં આવે એકવાર,જે ભાઈબહેનના પ્રેમથી પરખાય.
ધર્મકર્મના સંબંધદેહને જેઅવનીપર મેળવાય,એજ પવિત્રરાહે લઈ જાય
ઉજવળ જીવનની રાહ મળે જીવને,જ્યાં માબાપના પ્રેમની વર્ષા થાય
મળેલ કાયાના સંબંધ એજ કર્મના સ્પર્શ,જીવને મળેલ દેહથી સમજાય
મળે બહેનનો પ્રેમ નિખાલસ ભાઈને,જે સમયના સ્પર્શથીજ મળી જાય
.....એવો આતહેવાર વર્ષમાં આવે એકવાર,જે ભાઈબહેનના પ્રેમથી પરખાય.
અજબપ્રેમ જગતમાં ભાઈ બહેનનો,ના કોઇ દેહથી કદીય દુર રહેવાય
સમયનીરાહ જુએછે ભાઈ અવનીએ,ત્યાં બહેન આવી રાખડી દઈજાય
એજ પવિત્રપ્રેમ છે નિખાલસ જીવનનો,પાવનપ્રેમની ગંગાએ મળી જાય
નિર્મળપ્રેમ ને નિર્મળ સંબંધ છે જીવનો,જે બહેનના હાથથીજ મળીજાય
.....એવો આતહેવાર વર્ષમાં આવે એકવાર,જે ભાઈબહેનના પ્રેમથી પરખાય.
==========================================================
August 6th 2017
..
...
. .અદભુત ચમત્કાર
તાઃ૬/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત ચમત્કાર છે પરમાત્માનો,અવનીપર અનુભવથી દેહને સમજાય
કુદરતની આલીલા જગતપર,ક્યારે મળેને ક્યારે જાય નાકોઇથી પકડાય
.....પાવનરાહની નિર્મળકેડી જગતમાં મળે,જ્યાં નિર્મળ ભાવનાએજ ભક્તિ થાય.
અબજો જીવોના આગમન દેહથી,જે મળેલ દેહથી અનુભવ થઈ જાય
પશુપક્ષીના દેહ મળતા અવની પર,નિરાધાર જીવનની રાહે જ જીવાય
નાસંબંધ સ્પર્શે દેહને જગતપર,જેને પરમાત્મા કર્મની કેડીએ દઈ જાય
આવનજાવન ના બંધન અડે જીવને,જે દુનીયાપર મળેલ દેહે સમજાય
.....પાવનરાહની નિર્મળકેડી જગતમાં મળે,જ્યાં નિર્મળ ભાવનાએજ ભક્તિ થાય.
દેહ મળતા જીવને સમય સ્પર્શે,જે બાળપણ જુવાની ઘડપણ કહેવાય
ભક્તિમાર્ગની જ્યોત પ્રગટે જીવનમાં,જે માબાપના સંસ્કારથી મેળવાય
કરેલ કર્મના સંબંધ જીવનના બંધન,પરમાત્માની અદભુત કૃપા કહેવાય
મળેલ માનવદેહ અવનીપર જીવને,થયેલ કર્મથીજ જીવને અનુભવ થાય
.....પાવનરાહની નિર્મળકેડી જગતમાં મળે,જ્યાં નિર્મળ ભાવનાએજ ભક્તિ થાય.
============================================================
August 5th 2017
. .પાવનપ્રેમ મળે
તાઃ૫/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમ મળે પિતા ભોલેનાથનો,જીવને મળેલ જન્મ સફળ કરી જાય
ઉજવળ જીવનની રાહે જીવવા,માતા પાર્વતીનીય કૃપા દ્રષ્ટિ પડી જાય
.....એજ પાવનપ્રેમ પિતાનો મેળવાય,જે દેહને ઉજવળ રાહ આપી જાય.
શ્રાવણ માસના પવિત્ર દીવસોમાં,માતાપિતાના આશીર્વાદ મળી જાય
સંગે શ્રી ગણેશજીની કલમનીકેડીએ,મળેલ દેહનુ ભવિષ્ય સુધરી જાય
એજકૃપા મળેલદેહ પર થતાં,જીવને અંતે નિર્મળ મુક્તિરાહ મળી જાય
શ્રધ્ધાભક્તિએ અર્ચના કરતા શિવલીંગને,આશિર્વાદની વર્ષા થઈ જાય
.....એજ પાવનપ્રેમ પિતાનો મેળવાય,જે દેહને ઉજવળ રાહ આપી જાય.
ૐ ગં ગણપતયે નમઃથી વદન કરતા,સંગે રિધ્ધી સિધ્ધીની કૃપા થાય
પાવનજીવન એ સુખશાંન્તિથી મળે,જ્યાં પિતા ભોલેનાથને વંદન થાય
માતાના મળે આશિર્વાદ સંતાનને,જે દેહને સ્પર્શેલકર્મથી સમજાઈ જાય
અવનીપરના આગમન બંધનછે જીવના,જે પિતાની કૃપાએજ છુટી જાય
.....એજ પાવનપ્રેમ પિતાનો મેળવાય,જે દેહને ઉજવળ રાહ આપી જાય.
=======================================================
August 4th 2017
...
...
. .પરમકૃપાળુ
તાઃ૪/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,સાચી ભક્તિએ અનુભવ થાય
નિર્મળ ભાવના સંગે ભક્તિ કરતા,પરમાત્માની જ કૃપા થઈ જાય
.....અવનીપરનુ આજ સત્ય છે,જે શ્રધ્ધાએ ભક્તિ કરતા જ મળી જાય.
માનવજીવન એ કરેલ પાવન કર્મથી,જીવને અવનીએ લાવી જાય
નિખાલસ ભાવનાએ ભક્તિ કરતા,જીવપર જલાસાંઇની કૃપા થાય
પવિત્ર જીવ એજ આંગળી ચીધે દેહને,જે પવિત્રકર્મને કરાવી જાય
માગણી મોહને દુર રાખતા જીવનમાં,ના આફત કોઇ જ અથડાય
.....અવનીપરનુ આજ સત્ય છે,જે શ્રધ્ધાએ ભક્તિ કરતા જ મળી જાય.
જીવને મળેલ દેહને સમયની સાંકળ,એ સંગે સુખદુઃખ આપી જાય
પરમાત્માનો પ્રેમ મળતા જીવને,નિર્મળભાવનાએ સતકર્મ થઈ જાય
એજ બંધન જીવના અવનીપર,જે જીવને પવિત્ર માર્ગે જ લઈ જાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં પરમાત્માની પરમકૃપા થઈ જાય
.....અવનીપરનુ આજ સત્ય છે,જે શ્રધ્ધાએ ભક્તિ કરતા જ મળી જાય.
======================================================