October 4th 2020

પ્રેમની નિખાલસતા

.            .પ્રેમની નિખાલસતા   
તાઃ૪/૧૦/૨૦૨૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેહ અવનીપર,ગત જન્મે થયેલ કર્મથી મેળવાય
અદભુતલીલા અવીનાશીની જગતપર,જે અનેકકર્મથી દેહ આપી જાય
.....પાવનરાહ પ્રેમની નિખાલસતાએ મળે,જે મળેલદેહના પવિત્રવર્તને મળી જાય.
સરળ જીવનની રાહ મળે દેહને,એ પરમાત્માની પાવન કૃપા કહેવાય
સમયનીસંગે સમજીને ચાલતા માનવીને,અનેક આફતથી બચાવી જાય
નિર્મળપ્રેમ એ નિખાલસતાથી મળે,જે સુખશાંંતિના સમયથીજ દેખાય 
શ્રધ્ધાભાવનાથી જીવન જીવતા દેહને,પવિત્રસંત જલાસાંઇની કૃપા થાય
.....પાવનરાહ પ્રેમની નિખાલસતાએ મળે,જે મળેલદેહના પવિત્રવર્તને મળી જાય.
માનવદેહની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવથીજ ભક્તિ થાય
નિર્મળજીવન એકૃપાપ્રભુની દેહપર,અનેક નિખાલસ પ્રેમીઓથી મેળવાય
માનવદેહની મહેંક પ્રસરે સંસારમાં,જે પકડેલ કલમની પવિત્રરાહે દેખાય
આગમનવિદાય એ બંધનજીવના,પણ પવિત્રકલમ એ અનેકને પ્રેરી જાય 
.....પાવનરાહ પ્રેમની નિખાલસતાએ મળે,જે મળેલદેહના પવિત્રવર્તને મળી જાય.

***************************************************************

   

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment