October 29th 2020

વ્હાલા સાંઇ

 **शिर्डीचे साईबाबा - Home | Facebook**    
.             .વ્હાલા સાંઇ           
તાઃ૨૯/૧૦/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ મળ્યો સાંઇબાબાનો જીવનમાં,પાવનરાહે મળેલ જીવન જીવાય
શાંંતિની પાવનરાહથી દેહને,પવિત્રકર્મ સંગાથે બાબાની કૃપા મળી જાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
સુખદુઃખનો સંબંધ જગતપર મળેલદેહને,જે સમયસંગે ભક્તોને અનુભવથાય
પવિત્રદેહ લઈ પરમાત્મા આવે,મળેલદેહને પવિત્રકર્મની પ્રેરણા આપી જાય
પવિત્રભુમી ભારત અવનીપર,જ્યાં અનેક સ્વરૂપે પરમાત્મા દેહ લઈ જાય
વ્હાલા સાંઇબાબા પવિત્રજીવ ભોલેનાથનો,જે માનવજીવને સ્પર્શ કરી જાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
માનવદેહ લઈ સાંઇબાબા શેરડીઆવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મળી જાય 
મળેલદેહને સંબંધ રાખવો માનવીનો,ના ધર્મ કર્મનો સંબંધ જીવનમાં રખાય
જીવને મળેલદેહ એ કૃપા પ્રભુની,જે ગતજન્મના થયેલ કર્મથીજ દેહ મેળવાય
માનવતાને જીવનમાં રાખી જીવતા,જગતપર બાબાની પ્રેરણા દેહને મળીજાય
.....એવા મારા વ્હાલા સાંઇબાબા,અવનીપર નિર્મળ ભાવની ભક્તિએ દેખાય.
**************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment