October 6th 2008

શીતળતાનો સંબંધ

………………………  શીતળતાનો સંબંધ

તાઃ૯/૯/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

#  જનજીવનમાં જ્યારે મન મળે ત્યારથી જીવનમાં શીતળતાનો
  સહવાસ થાય છે.
# મનુષ્યના જીવનમાં જ્યારે સાચો પ્રેમ મળે ત્યારે તે જીવનમાં
  શીતળતાનો અનુભવ કરે છે.
#  પ્રેમનો સહવાસ શીતળતા રેલાવે છે.
# સંતાન અને માબાપનો પ્રેમ શીતળતા આપે છે.
# ચાંદાની ચાંદની પૃથ્વીના જીવોને શીતળતા આપે છે.
# સાચો પ્રેમ પતિપત્નીના જીવનને શીતળ બનાવે છે.
# જ્યાં પ્રેમનો સહવાસ હોય ત્યાં શીતળતા શોધવી ના પડે કારણ
  સાચા પ્રેમની નિશાની જ શીતળતા છે.
# ભાઇ બહેનનો સાચો પ્રેમ પણ શીતળતા રેલાવે છે.
# શીતળતા એટલે શાંન્તિ અને નિશ્વાર્થ ભાવના.
# સહાધ્યાયીનો પ્રેમ પણ શીતળતાનો સ્પર્શ કરાવે છે કારણ તેમાં
     એક બીજાને મદદ કરવાની ભાવના સમાયેલ છે.
# સમયસર થયેલ કોઇપણ કામ જીવનમાં શીતળતા લાવે છે.
# સાચા સંતની સેવા ભક્તિજીવનમાં શીતળતાનો સંગાથ આપે છે.

 શીતળતા એટલે મનુષ્ય જીવનમાં મનની શાંન્તિ અને જીવને આનંદ.
====================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment