October 26th 2008

ધનતેરસ

                  

                             ધનતેરસ

તાઃ૨૬/૧૦/૨૦૦૮                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આસો માસની અજવાળી રાત વીતીને અંધારા પથરાય
પવિત્ર હિન્દુ ધર્મ જગતમાં  આસો પવિત્ર માસ કહેવાય
                           …… જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
સુદએકમના પવિત્રદીને,બહેનો માતાને રાજી કરવા જાય 
નવરાત્રીના નવલાં દીવસોમાં, માતાજી જગતમાં હરખાય
માતાજીના આંગણે આવી, શુધ્ધ  ભાવથી ગરબે ઘુમે નાર
પામવા માની કૃપા જગતમાં,વ્રતોનાવહેણમાં સૌ મલકાય
                           …….જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
શ્રાવણમાસની ઉજ્વળ સીમા પાર કરો ત્યાં ભાદરવો દેખાય
શ્રધ્ધા સ્નેહને પ્રેમની જ્વાળામાં ન્હાતા પાવન મનડાં થાય
પ્રભુ પ્રાર્થના ને હરિ  ભક્તિમાં જીવન ઉજ્વળ  સદાય  થાય 
માગતા માયા પ્રભુ ભક્તિની જે  જીવને મુક્તિ દેશે  તત્કાળ
                           …….જગતમાં આસો માસ પવિત્ર કહેવાય
અગ્યારસ નો દીન વીતે પછી વાઘબારસ પણ ઉજવાય
જગ સૃષ્ટિની પ્રણેતા મા લક્ષ્મીની પુંજા ધનતેરસે થાય
પંચામૃતથી સ્નાન કરાવી માની મનથી ભક્તિ છે કરાય
કંકુચોખા હાથમાં લઇને બારણે મા આવકારી ચાંલ્લાથાય
                           ……જગતમાં આસો માસ પવિત્ર કહેવાય

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment