March 28th 2009

સંસ્કાર

                       સંસ્કાર

તાઃ૨૮/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માન જગતમાં ના રહે અપમાનને કોઇ આરો
સાદુસાત્વિક ભક્તિજીવન જગતમાંએ સાચો પારો
                               …….મળે માન જગતમાં ના.
કોણ કોનુ ને કોણ મારુ એ તો છે પકડ જગતની
મોહ માયા ને લાગણી બની રહીએ કડી મગજની
વરસે વર્ષા પ્રેમની સાચી ના લાલચની કોઇરીત
માણે માનવજીવન સાચુ જ્યાં ભક્તિથી છે પ્રીત
                               …….મળે માન જગતમાં ના.
ભક્તિ પ્રેમમાં ના ઉત્તર કે ના દિશા કોઇ દક્ષીણ
પુર્વ પશ્ચીમ બનીજાય એ જ્યાં નમે તમારુ શીશ
સુરજદેવનુ આગમન મણાવે ઉજ્વળ માનવમન
નારહે અભિલાષા કે આશા રહેએ સંસ્કારની અંદર
                              …….મળે માન જગતમાં ના.

=======================================

March 28th 2009

જીવનનો અંત

                    જીવનનો અંત

તાઃ૨૭/૩/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

કામદામને ભુલી માનવી,જ્યાં રામનામમાં લબદાય
ઉજ્વળ માનવજીવનથાય ને મનને શાંન્તિમળીજાય
                                    ……કામદામને ભુલી માનવી.
સમજણ શક્તિને પારખીલઇ ભક્તિસાગરમાં જે ન્હાય
પ્રભુ કૃપાની વરસે વર્ષા,ને જીવ પણ શાંન્તિએ લ્હાય
બારણું ખોલતાં ભક્તિનુ,જગમાંસુખ સંમૃધ્ધિ મળીજાય
                                    ……કામદામને ભુલી માનવી.
માળા હાથમાં મળી જતાં,જીવ ચઢે ભક્તિના સોપાન
છુટે વળગેલ માયા ધીમેધીમે,જે જગને મળે હર દ્વાર
પાવક જ્વાળા લાગે જીવને, ત્યાં જગત ભુલાઇ જાય
                                    ……કામદામને ભુલી માનવી.
અવની પર આગમન થતાં જ,મળે પવિત્ર પ્રેમ જગે
નામાયા નામોહ વળગીરહે,સાચા મળે જીવનમાં સંત
મુક્તિ જીવને મળીજ જશે, જ્યાં આવે જીવનનો અંત
                                    ……કામદામને ભુલી માનવી.

+=========================================