November 27th 2009

મહેનતનું ફળ

                    મહેનતનું ફળ

તાઃ૨૭/૧૧/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી મહેનત કરતાં,કામ સફળ થઇ જાય
આવતી વ્યાધી દુરચાલે,જ્યાંઉપાધી ભાગી જાય
                     ………શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
મક્કમ મનને ભેંટ મળે,જ્યાં મહેનત લાગી જાય
પ્રેમથી કરતાં કામમાંજ ભઇ,સહવાસી મળી જાય
નારાયણનું સ્મરણ કરતાં,જેમ પ્રભુ કૃપા મેળવાય
સાચી શ્રધ્ધા પકડી રાખતાંજ,મહેનત સફળ થાય
                     ……….શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
એક બે ની નાટેવ રાખતાં,સધળા જ્યાં મળી જાય
ચલ ફટાફટ સાંભળી લેતાં,સૌ માનવ પણ હરખાય
સત્યતાનીસીડી પકડતાં,મનને મહેનત લાગીજાય
આવે ઉત્સાહની વેળા જ્યાં,પ્રેમ પણ ઉભરાઇ જાય
                     ………..શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
સાચી લાગણી ને સાચો સ્નેહ, આંગણે આવી જાય
મધુરમિલનની વેળામળે,જ્યાં સચ્ચાઇને સચવાય
કુદરતની દ્રષ્ટિ પડતાં,માનવજન્મ સફળ થઇજાય
ફળની આશા ના છતાં,માનવ મહેરામણ ઉભરાય
                     …………શ્રધ્ધા રાખી મહેનત કરતાં.

%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ

November 27th 2009

जलता बदन

                  जलता बदन

ताः२०/३/१९७२                     प्रदीप ब्रह्मभट्ट

जलता है बदन,अंगारोकी तरहां
               महेंका है चमन,फुलवाकी तरहां
ये सदा जलता ही रहे,ये सदा महेंकता ही रहे
                       तुम्हारा बदन…..जलता है बदन..
हाथ तेरे बदनपे आजाये,शांन्त शीतलसे होजाये
गहेराइ है समुन्दरकी,मेरा प्यार है इतना गहेरा
तु माने हमको अपना,तुमको ही खुदा मै जानु
                                    …..जलता है बदन..
हर सांसमें तु आये,हर धडकनमें भी तु समाये
मै पुकारता रहुंगा हरदम,येहरपळ तुम्हारीकसम
ये ऐसा कोइ खेल नहीं,जो चैन से मील जाये
                                   …..जलता है बदन..

++++++++++++++++++++++++++++++++++

November 27th 2009

ભક્તિનો આનંદ

                        ભક્તિનો આનંદ

તાઃ૨૬/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમંદિરના બારણા ખોલતાં,હૈયે અનંત આનંદ થાય
સંતજલાસાંઇની સેવા કરતાં,જીવે ભક્તિ ઉજ્વળ થાય
                      ……….મનમંદિરના બારણા ખોલતા.
પ્રભાતનીમીઠી લહેર પામતા,જીવને શાંન્તિ મળી જાય
હૈયે ટાઢક મેળવી લેતા,કુદરતનીકૃપા ત્યાં વરસી જાય
પંખીનાકલરવને માણી,પુષ્પની મીઠીમહેંક આવી જાય
જીવજગતને શાંન્તિમળતા,જીવન સુખીસુખી થઇ જાય
                      ……….મનમંદિરના બારણા ખોલતા.
ભક્તિ ગીતોની પાવનવાણી,માનવદેહ ને સ્પર્શી જાય
મનુષ્ય જીવન સાર્થક લાગતા,પવિત્ર જીવ છે હરખાય
કરુણાનાવરસાદની વેળામાં,મહેંક પુષ્પપાંદડે મળીજાય
આગમનનો ના અણસાર રહે,પણ અંત સુધરી જ જાય
                     ……….મનમંદિરના બારણા ખોલતા.

**************************************