November 26th 2009

અમી ઝરણાં

                       અમી ઝરણાં

તાઃ૨૬/૧૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૧)  બાળકને પ્રેમ અને પ્રભુને ભક્તિ.
(૨)  માતાનો પ્રેમ અને પિતાની પ્રેરણા.
(૩)  જુવાનીમાં ભણતર અને ગૃહસ્થીમાં મહેનત.
(૪)  વડીલને આદર અને સંતને વંદન.
(૫)  વૃક્ષને પાણી અને જીભથી વાણી.
(૬)  ઘોડાને લગામ અને જુવાનીમાં સંસ્કાર.
(૭)  ભણતરમાં મન અને જુવાનીમાં તન.
(૮)  ભક્તિમાં શ્રધ્ધા અને શરીરમાં શક્તિ.
(૯)  સમય અને સહવાસ એ જીવનની પુંજી.
(૧૦) માગણી અને લાયકાત એ સંસ્કારને આધીન છે.
(૧૧) જન્મ એ કર્મને અને મૃત્યુ એ દેહને આધીન છે.
(૧૨) દેહ એ જીવના સુખદુઃખની કેડી છે.
(૧૩) સુગંધ અને દુર્ગન્ધ એ નાકની પારખ શક્તિ છે.
(૧૪) મોહ માયા એ દૈહીક છે જ્યારે પ્રેમ એ અનુભુતી છે. 
(૧૫) ભક્તિ એ જીવ અને શીવની પ્રીત છે.
(૧૬) પોતે જ્વલીત રહી બીજાને પ્રકાશ આપે તે પ્રદીપ.
(૧૭) વાણી,વર્તન અને વિચાર એ દેહના બંધન છે.
(૧૮) મારુ એ મનુષ્યની માણસાઇ છે અમારુ એ પ્રભુ કૃપા છે.
(૧૯) સુખદુઃખએ તનને સ્પર્શે છે અને ભક્તિએ મનને સ્પર્શે છે.
(૨૦) દીવાની જ્યોત દ્રષ્ટિમાન છે,મનની જ્યોત અદ્રશ્ય છે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

November 26th 2009

सबका मालीक

                  सबका मालीक

ताः२६/११/२००९                      प्रदीप ब्रह्मभट्ट

इन्सानी जीवनमें कभी धुप छांव आ जाती है
जब रहेमहो उपरवालेकी सबचिंता भागजाती है 
                      ………..इन्सानी जीवनमें कभी.
कर्मवचन ओर वाणीका इन्सानियतसे नाता है
जो समझ गयेहै उसको वो भक्तिमेंसुख पाते है
आनाजाना इस दुनीयामें कर्मोसे मील जाता है
सबका मालीक मीलजायेतो उज्वळजन्म होताहै
                       ……….इन्सानी जीवनमें कभी.
करनी वैसी भरनी जगमें ना जगमें बच पाया है
भक्तिप्रेमका संदेशमीले तो प्रभुप्रीत मील जाती है
प्यारभरे इस संसारमें जव प्यार सभीका पाना है
श्रध्धाओरसबुरीमें जीवनमें प्रभुप्रेम मील जाता है
                         ……..इन्सानी जीवनमें कभी.

+++++++++++++++++++++++++++++++++++

November 26th 2009

સંતોષી મન

                 સંતોષી મન

તાઃ૨૫/૧૧/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય મન માગ્યુ જ્યારે,ના કોઇ રહે  વિચાર
પ્રેમ જગમાં ઉજ્વળ એવો,ના ક્યારે જુએ કોઇવાર
                        ……..મળી જાય મન માગ્યુ.
એકલતાના ભઇ આશરે,જ્યાં માનવમન ભચકાય
સથવારાને એ શોધીરહે,તોય નાસાથકોઇ દઇજાય
મુંઝવણ આવે વણ માગેલી,જે બારણે ખકડી જાય
ઓવારો કે ના કિનારો મળે,ને જીવન ભડકી જાય
                         ……..મળી જાય મન માગ્યુ.
હાથપ્રસારી માગણીનીકુટેવ,જે દેહમળતા મળીજાય
જોઇ લેતા જગના જીવનને,પાવન જીવ દુખી થાય
પ્રભુભક્તિને પકડીલેતાં જ,મુંઝવણ દુર ભાગી જાય
શાંન્તિ આવતાં જીવનમાં,મનને સંતોષ મળી જાય
                           …….મળી જાય મન માગ્યુ.
શીતળ સ્નેહની આશા રાખી,મોહ જગતમાં ફર્યા કરે
આંધીકેવ્યાધી નાસમજે,માગણી જીવનીકદીનાઅટકે
આજે આવશે કાલેમળશે,સદામોહમાંમન લટકીરહેશે
સદીયોમાં એ વિસરાઇ રહેશે,ના કદી આ દેહે મળશે
                             …….મળી જાય મન માગ્યુ.

———————————————————-