આ માનવતા
આ માનવતા
તાઃ૪/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવેલાને આવકારે,જ્યાં ધર્મ ધજાને મુકે નેવે
હિન્દુ,મુસ્લીમ કે હોય ખ્રિસ્તી,નાતજાત ના માનવતાએ
……….. આંગણે આવેલાને આવકારે.
સુખદુઃખની સાંકળ છેનિરાળી,જન્મમળે દેહને મળનારી
કર્મબંધન કુદરતનીલીલા,જગત જીવથી નાએઅજાણી
માનવતાની મહેંક છે ન્યારી,સઘળી વિપત્તી હણનારી
ભેદભાવને દુર કરતાં તો,જન્મ સફળ જીવનો કરનારી
………. આંગણે આવેલાને આવકારે.
દેહને મળેલ નિર્મળ આંખો,સૃષ્ટિને એનિરખી શકવાની
મળેલ માયામમતા ને ઇર્ષાદ્વેષ,સંગે રહેશે જીવની છેક
ભેદને ભાગી ભુકો કરતાંજ,જીવને મળશે ભાવના મોટી
ખુલસે પ્રભુકૃપાના દ્વાર,ના ચિંતા રહેશે જીવને પળવાર
………. આંગણે આવેલાને આવકારે.
+++++++++++==========+++++++++++