માનવ નૈન
માનવ નૈન
તાઃ૨૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ કળા નિરાળી,જે પળપળ કહી જાય
એક જ ઇશારો આંખનો,જગે જીવન બદલાઇ જાય
………કુદરતની આ કળા નિરાળી.
કર્મ જગતમાં બંધન આપે,ને નૈન કરે જ્યાં ઇશારો
જન્મમૃત્યુની સાંકળ એવી,જગમાં સૌને રાખે સાથે
મળીજાય જો નૈન હેતના,પાવનજીવન કર્મ લાગે
અંત જીવનો લાગે નિરાળો,નૈન ભીના કરીજવાનો
……….કુદરતની આ કળા નિરાળી.
મોહ ને રાખી સંગે જીવનમાં,જન્મ જીવ જીવવાનો
આંટીઘુંટીની આ દુનીયામાં,ઇર્ષાદ્વેશ મળી રહેવાનો
આવે ત્રાસનેમાયા માર્ગે,જીવન આખુદુઃખી થવાનુ
મળેઅસર એનૈનની,કલીયુગ આવી ભરખી જવાનુ
………કુદરતની આ કળા નિરાળી.
===============================