August 7th 2010

કરેલ કર્મ

                       કરેલ કર્મ

તાઃ૭/૮/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ દેહને સંબંધ અનેરો,અદભુત એ અભિયાન
વિચારના વમળમાં મળેએ,કરેલ કર્મના બલીદાન
                     ………. મળેલ દેહને સંબંધ અનેરો.
સારા નરસાની ના સમજ,જ્યાં બુધ્ધિ ના વપરાય
ઉજ્વળ જીવનની જ્યોતદીસે,ત્યાંસજ્જનતા દેખાય
સરળતાનો સહવાસ મળે,એદેહે માનવતાજ વર્તાય
કર્મનો હિસાબ કોડીજેવો,જે દેહના વર્તને મળી જાય
                       ……….મળેલ દેહને સંબંધ અનેરો.
છાનુછપનું કે જાહેરમાં,માનવી કોઇ કામ કરી જાય
તેમાંનું ઘણું છે એવુ,જે સાદી આંખોથી ના દેખાય
પરમાત્માની દ્રષ્ટિ નિર્મળ,સઘળુ સાદુ સૌ જોવાય
જીવના બંધન એ કરેલ કર્મ,ના કોઇથીય છટકાય
                       ………મળેલ દેહને સંબંધ અનેરો.
ધરતીના છે બંધન દેહને,ના પ્રભુથીએ તરછોડાય
પરમાત્માની કૃપાળુદ્રષ્ટિમાં,આ દુનીયા આવીજાય
સાચાસંતના સહવાસે જીવને,પ્રભુભક્તિ મળીજાય
મળે જીવને અનંતશાંન્તિ,જેમાં સતકર્મો થઇ જાય
                        ……..મળેલ દેહને સંબંધ અનેરો.

===========================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment