જલીયાણ જ્યોત
.
.
.
.
.
.
.
.
જલીયાણ જ્યોત
તાઃ૧૯/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલીયાણ તમારી જ્યોત છે ન્યારી;
ઉજ્વળ જીવન ભક્તિએ કરનારી.
મીઠી માયા મોહને એ છોડાવનારી;
મનને શાંન્તિ સદાય એ છે દેનારી.
…………જલીયાણ તમારી જ્યોત.
પિતા પ્રધાને જલાને પ્રેમ દીધો છે
ને માતા રાજબાઇએ દીધા સંસ્કાર
વ્હાલા કાકાનો વ્હાલ મેળવી લીધો,
અને પત્નીએ પ્રભુ માન્યા ભરથાર
…………જલીયાણ તમારી જ્યોત.
સંત ભોજલરામની મેળવી છાયા;
છોડ્યા જગતના બંધનને મોહમાયા,
ભુખ્યાને ભોજન મનથી દઈ દીધા;
જગત પિતાના પ્રેમને પામી લીધા
…………જલીયાણ તમારી જ્યોત.
================================