ભાવની ભક્તિ
ભાવની ભક્તિ
તાઃ૨૩/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેટલી તમારી ભક્તિ છે,ને કેટલુ મળે તેનુ ફળ
જીવને મળતી શાંન્તિ સાચી,એજ ભક્તિનું ફળ
………….કેટલી તમારી ભક્તિ છે.
મોહમાયા જ્યાં અળગીલાગે,ને લોભ ભાગે દુર
સમજો શાંન્તિ આવી છે,સાથે પ્રેમ લઈ ભરપુર
શીતળતાનો સંગાથ મળે,ને ઘરમાં પ્રેમ અતુટ
જીવનઉજ્વળ મળીજાય,એ ભાવની ભક્તિ રૂપ
………….કેટલી તમારી ભક્તિ છે.
આંગળી નો અણસાર મળે,જે જીવને દોરી જાય
સતકર્મ વચન સાચવીલેતાં,રાહસાચી મેળવાય
મનની માગેલી મુંઝવણ,દેહથી દુર ભાગી જાય
ભાવની ભક્તિ પવિત્રરહેતા,પળપળને સચવાય
………….કેટલી તમારી ભક્તિ છે.
=============================