May 25th 2011

મને મળી

                           મને મળી

તાઃ૨૫/૫/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

રીધ્ધી સીધ્ધીને પામવા,સરળ ભક્તિ થઈ જાય
જીવન ઉજ્વળ કરવા,મને જલા સાંઇ મળી જાય
                         …………રીધ્ધી સીધ્ધીને પામવા.
પ્રભાતના પહેલા કિરણે,મનથી પુંજન અર્ચન થાય
ૐ નમઃ શિવાય શબ્દથી,જીવને શાંન્તિ મળી જાય
                         …………રીધ્ધી સીધ્ધીને પામવા.
ગણેશ વંદન કરતાં ઘરમાં,પુષ્પ અર્પણ થતાં જાય
ૐ ગં ગંણપતયે નમઃ સ્મરતાં,ભક્તિરાહ મળી જાય
                         …………રીધ્ધી સીધ્ધીને પામવા.
સાંઇનાથાય નમઃ સાંભળતા,સાંઇબાબા સ્મરણ થાય
પ્રેમની સાચીરાહ મળતાં,પ્રભુ કૃપાજીવને મળી જાય
                        ………….રીધ્ધી સીધ્ધીને પામવા.
આનંદનો ગરબો સાંભળતાં,મા બહુચરાજી રાજી થાય
સર્વ સુખની સીડી મળે,જ્યાં કુટુંબનો પ્રેમ મળી જાય
                         ……….. રીધ્ધી સીધ્ધીને પામવા.
અન્નદાનની રીત ન્યારી,જગતમાં જલારામથી જાણી
વિરબાઇમાતાની શ્રધ્ધાએ,સકળ જગતમાં એ વ્યાપી
                       …………..રીધ્ધી સીધ્ધીને પામવા.
શ્રધ્ધારાખી ભક્તિકરતાં,મોહમાયા જીવથી જાયભાગી
પગલેપગલુ પાવન થતાં,ઉજ્વળ આવતી કાલ મળી
                           …………રીધ્ધી સીધ્ધીને પામવા.
ૐ બંબુધાય નમઃ સ્મરતાં,આવતીકાલ ઉજ્વળ દીઠી
પરમાત્માની એકનજરથી,મુક્તિ જીવને આ ધરતીથી
                          …………રીધ્ધી સીધ્ધીને પામવા.

===============================